Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

રાજકોટ જેલના બે કેદીઓની ફરીવાર તબિયત બગડતાં હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ તા. ૨: પોપટપરામાં આવેલી સેન્ટ્રલ જેલમાં રખાયેલા બે કેદીઓ લાંબા સમયથી ભુખ હડતાલ કરી રહ્યા હોઇ વધુ એક વખત તબિયત બગડતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. સુરેશ ધનજીભાઇ મકવાણા (ઉ.વ.૩૮) અને રમેશ જેઠાભાઇ ચાવડા (ઉ.વ.૪૦) પોતાને અન્યાય થઇ રહ્યાની ફરિયાદ આગળ ધરી ઘણા દિવસોથી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. અગાઉ આ બંને સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ગઇકાલે બંનેને તબિયત બગડતાં સારવાર માટે સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી હતી.

(12:00 pm IST)