Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

કોંગ્રેસ ફરીયાદ સેલ દ્વારા મહારાણા પ્રતાપને વંદના

મહારાણા પ્રતાપની ૪૮રમી જન્‍મ જયંતી નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ફરીયાદ સેલના મહામંત્રી તથા સૌરાષ્‍ટ્ર ઝોન ઇન્‍ચાર્જ આશિષસિંહ વાઢેર તથા રાજકોટ શહેર કોંગ્રેસ ફરીયાદ સેલ ચેરમેન ઘનશ્‍યામભાઇ મકવાણાની આગેવાનીમાં સોરઠીયા વાડી ખાતેની પ્રતિમાએ ફુલહાર કરીને ભાવવંદના કરાઇ હતી. આ સમયે ધમભા પરમાર, દિલીપ ત્રિવેદી, હિતેશ મહેતા, મનુભાઇ પટેલ, હાર્દિક પાઠક, સંદીપ રાખસીયા, કૌશીક સખીયા, અતુલ સોલંકી, ભાવીષાબા પરમાર, કરણ પાઠ વગેરે ઉપસ્‍થિત રહયા હતા.

 

(4:32 pm IST)