Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

ભાજપ દ્વારા કાલે મા ઉમિયાજીની શોભાયાત્રાનું કરાશે સ્‍વાગત

રાજકોટ, તા. ર :  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ તથા નરેન્‍દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયું છે કે, ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા શ્રી ઉમિયા માતાજીની જન્‍મજયંતી અંતર્ગત નીકળનાર શોભાયાત્રાનું શહેર ભાજપ દ્વારા આવતીકાલે તા. ૩૦ ના શુક્રવારે સવારે ૯ કલાકે શહેરના ૧પ૦ ફૂટ રીંગ રોડ પર આવેલ રાધે હોટલ ઉમિયા ચોક ખાતે સ્‍વાગત કરવામાં આવશે.

તમામ શ્રેણીના કાર્યકર્તાઓને સમયસર ઉપસ્‍થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરે જાહેર અનુરોધ કર્યો છે.

(4:14 pm IST)