Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

રવિવારે શાહી - જાજરમાન સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્‍સવ : ૩૪ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે : ૫ યુગલ નિકાહ પઢશે

સ્‍વ.શૈલેષ રાદડીયા મેમોરીયલ ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની સ્‍મૃતિમાં આયોજન : કરીયાવરમાં દીકરીઓને ૭૦ થી વધુ વસ્‍તુઓ અપાશે : સી.આર. પાટીલ, નરેશભાઈ પટેલ, રામભાઈ મોકરીયા, વિજયભાઈ રૂપાણી, નીતિન જાની (ખજુરભાઈ) સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિ : પૂ. સ્‍વામી નિત્‍યસ્‍વરૂપદાસજી આર્શીવચન પાઠવશે

રાજકોટ, તા. ૨ : સ્‍વ.શૈલેષ રાદડીયા મેમોરીયલ ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની સ્‍મૃતિમાં આગામી તા. ૫ના રવિવારના રોજ ૩૪ સર્વ જ્ઞાતીય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં ૨૯ હિન્‍દુ નવ યુગલો અને ૫ મુસ્‍લિમ યુગલ લગ્ન ગ્રંથીથી જોડાશે.

સ્‍વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની સ્‍મૃતિમાં સ્‍વ. શૈલેષ રાદડીયા મેમોરીયલ ટ્રસ્‍ટ દ્વારા રવિવારે સાંજે ૫ વાગ્‍યાથી ગ્રીન લીફ ચોકડી નજીક આવેલ રીયલ મેળા ગ્રાઉન્‍ડ ખાતે આયોજીત આ સર્વ જ્ઞાતીય સમૂહલગ્નમાં પૂ.સ્‍વામી શ્રી નિત્‍ય સ્‍વરૂપદાસજી (શ્રી સ્‍વામીનારાયણ મંદિર, સરધાર) આર્શીવચન પાઠવશે. સમૂહ લગ્નના આચાર્યપદે શાષાી શ્રી અમિત અદા (જાળીયાવાળા) રહેશે.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ખોડલધામ ટ્રસ્‍ટના પ્રમુખ નરેશભાઇ પટેલ, પૂર્વ કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા અને નીતિન જાની (ખજુરભાઈ) સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહેશે.

આ સર્વજ્ઞાતીય સમૂહલગ્નોત્‍સવમાં કરીયાવરમાં દીકરીઓને ભગવદ્દ ગીતા, વુડન કબાટ, સેટી, મિક્‍સચર સહિત ૭૦થી વસ્‍તુઓ આપવામાં આવશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા મુકેશભાઈ રાદડીયા (મો.૯૮૨૫૦ ૭૭૩૦૯), મિલનભાઈ લીંબાસીયા, અલ્‍પેશભાઈ પોપટ, રવિ રાદડીયા અને દિપેશ વૈષ્‍ણવ વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

સ્‍વ. વિઠ્ઠલભાઈ રાદડીયા

(4:09 pm IST)