Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

મારામારીના ગુનામાં બે વર્ષથી ફરાર હીરા વાઘેલાને ફરલો સ્‍કવોડે દબોચ્‍યો

ફરલો સ્‍કવોડે મોરબી રોડ વેલનાથ પાસેથી દબોચ્‍યો

રાજકોટ, તા.૨: મોરબી રોડ રેલ્‍વે ફાટક નજીક વેલનાથપરા પાસેથી મારામારીના ગુનામાં બે વર્ષથી ફરાર શખ્‍સને પેરોલલ ફરલો સ્‍કવોડે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ તથા જોઇન્‍ટ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ એહમદ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે સૂચના આપતા પેરોલ ફરલો સ્‍કવોડા પીએસ. આઇ. બી.ટી.ગોહિલ સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ મારામારીના ગુનામાં ફરાર શખ્‍સ વેલનાથપરા પાસે હોવાની કોન્‍સ.સીરાજભાઇ ચાનીયા, યોગેન્‍દ્રસિંહ ઝાલા તથા અનિલસિંહ ગોહિલને બાતમી મળતા વેલનાથપરાની બાજુમાં આવેલા ઝુપડા પાસેથી હીરા મનુભાઇ વાઘેલા (ઉ.વ.૨૪) રહે. મોરબી રોડ રેલવે ફાટક નજીક વેલનાથપરાની બાજુમાં ઝુપડામાં)ને પકડી લીધો હતો. આ કામગીરી પી.એસ.આઇ. બી.ટી.ગોહિલ, એ.એસ. આઇ. ઝહીરભાઇ, હેડ કોન્‍સ જયદીપસિંહ, રાજદીપસિંહ, મયુરસિંહ, હરીભાઇ તથા કોન્‍સ શાંતુબેન મુળીયા દ્વારા કરવામાં આવી હતી.

 

(3:31 pm IST)