Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

રામનાથપરા ફલાવર માર્કેટના ૮૩ થડાઓના ભાવ કરાયા નક્કી

૪૩ ચોરસ ફૂટ થી ૯૪ ફૂટ સુધીના રૂા. ૪૫ હજારથી રૂા.૯૯ હજાર સુધીના ભાવે પાઘડી પટ્ટે થડાઓ અપાશે : થડાઓની ડ્રો થી ફાળવણી

રાજકોટ,તા.૧ : શહેરના વોર્ડનં૭ ના રામનાથ પરા વિસ્‍તારમાં તૈયાર થયેલ ફલાવર માર્કેટના ૮૩ થડાઓના ભાવ આજની સ્‍ટેન્‍ડિંગમાં નક્કી કરવામાં આવ્‍યા છે. આ માર્કેટમાં કુલ ૩ કેટેગરીમાં એટલે કે ૪૩ થી ૬૦ ચોરસ ફૂટના ૬૧ થડા, ૬૧ થી ૭૫ ચોરસ ફૂટના ૨૦ થડા તેમજ ૭૬ થી ૯૪ ચોરસ ફૂટના ૨ થડા સહિત કુલ ૮૩ થડાઓ બનાવામાં આવ્‍યા છે. આ તમામ થડાઓ પ્રતિ ચોરસ ફૂટની રૂા. ૧૦૫૯ની સુખડીની રકમ વસુલી ડ્રોથી ફાળવવામાં આવશે તેમજ થડાની ફાળવણી થયા બાદ વેપારીએ માસિક રૂા. ૫૦૦+ જીએસટી પ્રતિ માસ મુજબનું થડાનું ભાડુ ચુકવાનું રહેશે.

 

(3:18 pm IST)