Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ગાંધીગ્રામમાં પેટના દુઃખાવાથી કંટાળી દામીનીબેન નિમાવતનો આપઘાત

બાવાજી પરિણિતાએ ગળાંફાસો ખાઇ લીધો

રાજકોટ તા.ર : ગાંધીગ્રામની ગાંધીનગર સોસાયટીમાં રહેતી બાવાજી પરિણિતાએ પેટના દુઃખાવાથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ગાંધીનગર સોસાયટી શેરી નં.૮માં ભાડે રહેતી દામીનીબેન નયનકુમાર નિમાવત (ઉ.વ.ર૧)એ સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ ડી.એ.ધાંધલ્યા સહિતે સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતુ કે, મૃતક દામીનીબેનના એક વર્ષ પહેલા નયનકુમાર નિમાવત સાથે લગ્ન થયા હતા. બંને પડધરીના સરપદળ ગામમાં રહેતા હતા પતિ નયનકુમાર પ્રાઇવેટ નોકરી કરે છે.

તેના માતા-પિતા રાજકોટના મુંજકા ગામમાં રહે છે. દામીનીબેન પતિ સાથે છેલ્લા એક માસથી રાજકોટ ગાંધીધામની ગાંધીનગર સોસાયટીમાં ભાડે રહેતા હતા. બનાવની જાણ થતા દામીનીબેનના પિતા ભરતભાઇ વિષ્ણુસ્વામી દોડી આવ્યા હતા. પિતા ભરતભાઇએ જણાવ્યુ હતુ કે, પુત્રી દામીનીબેનને છેલ્લા ઘણા વર્ષથી પેટનો દુઃખાવો રહેતો હોઇ તેથી કંટાળી જઇ આ પગલુ ભર્યુ હતુ. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:31 pm IST)