Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કાલથી શાસ્ત્રી મેદાન બસ સ્ટોપ પરથી પોરબંદર માટે સ્પે. મિની બસ એક્ષપ્રેસ સર્વિસ શરૂ

રાજકોટથી સવારે ૬-૪પ વાગ્યે તો પોરબંદરથી બપોરે ૧ર-૩૦ વાગ્યે ઉપડશે

રાજકોટ તા. ૧ :.. રાજકોટથી રાત્રે ૩ાા થી સવારે ૭ાા સુધીમાં પોરબંદર જવા માટે બસ કે અન્ય કોઇ વાહન સુવિધા ન હોય, અને મુસાફરોની રાજકોટ એસ. ટી. પાસે ખાસ માંગણીઓ આવતા આવતીકાલથી શાસ્ત્રી મેદાન એસ.ટી. ડેપો ઉપરથી પોરબંદર માટે ખાસ મીની બસ એક્ષપ્રેસ સેવા રાજકોટ એસ.ટી. શરૂ કરી રહયું છે.

ડેપો મેનેજર શ્રી નીશાંત વરમોરાના ઉમેર્યા પ્રમાણે, કાલથી રાજકોટથી પોરબંદર જવા મિની બસ એક્ષપ્રેસ સર્વીસ સવારે ૬-૪પ વાગ્યે ઉપડશે, અને પોરબંદરથી રાજકોટ આવવા બપોરે ૧ર-૩૦ વાગ્યે બસ મળશે, આ બસ વીરપુર-જેતપુર, ધોરાજી-ઉપલેટા, કૂતીયાણા, રાણાકંડોરણા, રાણાવાવ ખાતે પણ સ્ટોપ કરશે.

(3:14 pm IST)