Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ભીલવાસ ચોકમાંથી બેભાન મળેલા અજાણ્યા વૃધ્ધનું મોતઃ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટઃ ભીલવાસ ચોક રોકડીયા હનુમાનજી મંદિર પાસેથી તા. ૨૯/૮ના રોજ અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધ બેભાન મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ૩૧/૮ના રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ રાજુભાઇ બી. ગીડાએ જાણ કરતાં પ્ર.નગરના એએસઆઇ કનુભાઇ વી. માલવીયા અને રામજીભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:03 am IST)