Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

કિશોરકુમારનો જન્મદિવસ મનાવવા રાજકોટ લાઈવ રેડિયોની ટીમ ખંડવા પહોંચી

દિનેશ બાલાસરા સાથે કિશોર ડોડીયા અને દ્વારકાદાસ ઝીંઝુવાડિયા પણ જોડાયા

રાજકોટ,તા.૧: મહાન પાર્શ્વગાયક હરફનમૌલા કિશોરકુમારનો ૪ ઓગષ્ટના જન્મદિવસ આવી રહયો છે. ત્યારે રાજકોટ લાઈવ રેડિયોની ટીમના દિનેશ બાલાસરા, કિશોર ડોડીયા અને દ્વારકાધીશ ઝીંઝુવાડિયા ખંડવા પહોંચી ગયા છે.

ખંડવા નગર નિગમ દ્વારા આગામી તા.૨,૩ અને ૪ ઓગસ્ટ એમ ત્રણ દિવસ અલગ અલગ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. ત્યારે રાજકોટ લાઈવ રેડિયો ચેનલ પણ તા.૩ અને ૪ ઓગસ્ટ રાત્રે ૯ કલાકે ખંડવાથી કિશોરકુમારના ગાયેલાં ગીતો પર આધારિત લાઈવ કાર્યક્રમ રજુ કરશે. રાજકોટ લાઈવ રેડિયોના ઉપરોકત બન્ને કાર્યક્રમો ફેસબુક પેજ દિનેશ બાલાસરા ઓફીસિયલ સર્ચ કરવાથી નિહાળી અને સાંભળી શકાશે. એવું સંચાલક  દિનેશ બાલાસરા (મો.૯૦૬૭૫ ૧૯૭૭૬)એ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

(4:25 pm IST)