Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

જુના માર્કેટ યાર્ડ પાસે વાહનની ઠોકરે ચડેલા ગોકુલનગરના આધેડનું મોત

મુળ યુપીના રામબાલકને ટુવ્હીલરના ચાલકે અડફેટે લીધા'તા

રાજકોટ તા. ૧: જુના માર્કેટ યાર્ડ પાસે ચાર દિવસ પહેલા અજાણ્યા બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મુળ યુપીના આધેડને ગંભીર ઇજા થઇ હતી. તેનું મોત નિપજ્યું છે.

સંત કબીર રોડ ગોકુલનગર-૩માં રહેતાં રામબાલક રામસજીવન રજપૂત (ઉ.વ.૪૫) ગુરૃવારે સાંજે આઠેક વાગ્યે યાર્ડમાંથી મજૂરી કરી ઘર તરફ જવા નીકળ્યા ત્યારે અજાણ્યા ટુવ્હીલરની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.  આજે તેનું મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. મૃત્યુ પામનાર રામબાલક ચાર ભાઇ અને ચાર બહેનમાં વચેટ હતા ંઅને તેના ભાઇ સાથે રહેતાં હતાં. તેને સંતાનમાં બે પુત્રી અને ત્રણ પુત્ર છે. પોલીસે વાહન ચાલક અંગે તપાસ હાથ ધરી છે.

(3:59 pm IST)