Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.૬-જુલાઇ-ર૦ર૧ મંગળવાર
જેઠ વદ-૧ર
મહાપાત - વ્યતિપાત ર૮-ર૬ થી શરૂ
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-વૃષભ
મંગળ-કર્ક
બુધ-વૃષભ
ગુરૂ-કુંભ
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦૯,
સૂર્યાસ્ત-૭-૩૩
જૈન નવકારશી-૬-પ૭
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ)
નક્ષત્ર- કૃતિકા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-રપ થી અભિજીત ૧૩-૧૮ સુધી
૯-૩૧ થી ચલ-લાભ-અમૃત
૧૪-૩ર સુધી ૧૬-૧૩ થી શુભ
૧૭-પ૩ સુધી ર૦-પ૩ થી લાભ રર-૧૩ સુધી, ર૩-૩ર થી શુભ-ર૪-પર સુધી
શુભ હોરા
૮-ર૪ થી ૧૧-૪પ સુધી, ૧ર-પર થી ૧૩-પ૯ સુધી, ૧૬-૧૩ થી ૧૯-૩૪ સુધી, ર૦-ર૭ થી ર૧-ર૦ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમાં જો સપ્તમેષ સ્વગૃહી હોય તો લગ્ન યોગ પ્રબળ બને છે. પણ જો જન્મનો ચંદ્ર રાહુની સાથે હોય અથવા જન્મના ચંદ્રની સાથે કેતુ હોય તો લગ્ન નથી થતા અથવા લગ્ન થયા પછી કાંઇક ને કાંઇક પ્રશ્નો ઉભા થયા કરે છે. તો કયારેક એમ બને છે કે ઉંમર વર્ષ પ૦ કે ૬૦ પછી લગ્ન કરવાની ઇચ્છા થાય છે. કારણ કે આ બાબતમાં સાતમા સ્થાનના ગ્રહની મહાદંશા ને લઇને આવા વિચારો આવે છે. અથવા તો કયારેક લગ્ન કરી પણ નાખે છે.
આ બાબતના નિર્ણયો ખુબ જ સમજીને લેવા નહિ કે કયારેક મોટા પ્રશ્નો પણ ઉભા થઇ શકે છે. જેથી બને કુંડલીના ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં લેવી કોઇ ઉતાવળ ન કરવી.