અવસાન નોંધ
તેજસભાઇ છાટબારનું અવસાન
રાજકોટ : બ્રહ્મક્ષત્રિય સ્વ. તેજસભાઇ જયેન્દ્રભાઇ છાટબાર તે જયેન્દ્રભાઇ નરોતમદાસ છાટબારના સુપુત્ર તથા ભાવનાબેન તેજસભાઇના પતિ, હેત તેજસભાઇના પિતાશ્રી તેમજ સમીરભાઇ, હર્ષભાઇના મોટાભાઇ તથા સતિષભાઇ, રાજુભાઇના ભત્રીજા, અરવિંદભાઇ ત્રિભોવનદાસ પડિયા (મહુવા)ના જમાઇ તા. ૧૧ના મંગળવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને લૌકિકક્રિયા બંધ રાખેલ છે.
વિનોદચંદ્ર રામાનૂજ
લતીપુર : લતીપુર નિવાસી વિનોદચંદ્ર (ઉ.વ.૬૯) તે સ્વ. નટવરલાલ કેશવદાસ રામાનુજના પુત્ર તથા કનુભાઇ કુબાવત (મોરબી) ના ભાણેજ તથા ઇશ્વરદાસજી વૈષ્ણવ (હળવદ)ના જમાઇ તથા ઇન્દુબેન ધીરજલાલ અગ્રાવત (મોરબી), અને નિલેષભાઇ નટવરલાલ રામાનુજના ભાઇ તથા પ્રણવભાઇ અને મિલનભાઇ રામાનુજના પિતાશ્રી તથા મેહુલભાઇ અને ચેતનભાઇ નવીનચંદ્ર રામાનુજના કાકાનું તા. ૧૧ ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૩ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે બ્રહ્મપુરી - લતિપુર ખાતે રાખેલ છે. પ્રણવ વિનોદચંદ્ર રામાનુજ મો. ૭૪૩પ૯ ૪૮૩૩૩ મિલન વિનોદચંદ્ર રામાનુજ મો. ૯૯૭૪૬ પ૭રર૪, નિલેષભાઇ નટવરલાલ રામાનુજ ૭૩પ૯૬ ૧પ૮ર૬, મેહુલ નવીનચંદ્ર રામાનુજ મો. ૯૮ર૪૩ ૪૧પ૩૧
મંજૂલાબેન નારણદાસ
રાજકોટ : મુળ ગામ નિકાવા હાલ રાજકોટ નિવાસી રામાનંદી સાધુ નારણદાસબાપુ વિષ્ણુસ્વામીના ધર્મપત્ની મંજૂલાબેન નારણદાસ વિષ્ણુસ્વામી (ઉ.વ.૬૮) તે રાધેશ્યામભાઇ, જયેશભાઇ તથા ભારતીબેન રાજદેવ કુબાવત (જામનગર)ના માતુશ્રી તા. ૧૧ ના શ્રીરામશરણ પામેલ છે. તેમનું બેસણુ તા. ૧૩ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ 'સદ્ગુરૂ' ૮/૧૦ નવલનગર, મવડી રોડ, માલવિયા પોલીસ સ્ટેશન સામે રાખેલ છે.
મણીશંકરભાઇ આમિંગ
રાજકોટ : ભંડારીયા (ભાડલા) નિવાસી રાજગોર બ્રાહ્મણ મણીશંકર ધનાભાઇ આમિંગ (ઉ.વ.૯૪) તેઓ અમુભાઇ મણીશંકર, વિક્રમભાઇ મણીશંકર આમિંગ અને જયાબેન જોશીના પિતાશ્રી, રમેશકુમાર જોશીના સસરા, ચિરાગ અમુભાઇ અને ધવલ, વિક્રમભાઇના દાદાશ્રીનું તા. ૧૦ ના અવસાન થયેલું છે. સદ્ગતનું ટેલિફોનીક બેસણું તા. ૧૪ રાખેલ છે. સદ્ગતની દશા તા. ૧૮ ના અને ઉત્તર ક્રિયા તા. ૧૯ ના ભંડારીયા ગામે રાખેલ છે. અમુભાઇ મો. ૯૩ર૩૬ ર૧૧૩૪ અને વિક્રમભાઇ મો. ૯૪ર૬૯ ૬૮૬પ૩
બળવંતભાઇ ગોહેલ
રાજકોટ : મ.ક. સ. સુ. સરધાર વાળા હાલ રાજકોટ સ્વ. જૈરામભાઇ નાગજીભાઇ ગોહેલના પુત્ર બળવંતભાઇ જૈરામભાઇ ગોહેલ તે સ્વ. જેઠાભાઇ તથા મગનભાઇ તથા અમુભાઇ તથા ગુણવંતભાઇના નાના ભાઇ તે કિશોરભાઇ તથા પ્રશાંતભાઇ તથા વિમલભાઇ, કલ્પેશભાઇ, દીવ્યેશભાઇ, કેયુરભાઇના કાકાનું ઉઠમણુ તા. ૧૩ ને ગુરૂવારે સાંજે ૪ થી પ, પુનીત સોસાયટી નવરુંગા ૩૦ ફુટનો રોડ બ્રહ્માણી કૃપા ખાતે રાખેલ છે. મો. કિશોરભાઇ ૯૮ર૪ર ર૪૮પ૯, પ્રશાંતભાઇ ૯૦૩૩ર ૩૦૧૮ર, અરવિંદભાઇ ૯૦૮૧૩ ૧૦૯૭૭
અનિલભાઈ હાલાણી
રાજકોટઃ સ્વ.અનિલભાઈ જયંતિલાલ હાલાણી તે સ્વ.જયંતિલાલ ગોવિંદજીભાઈ હાલાણીના પુત્ર તથા નિતીનભાઈ હાલાણી, મીનાબેન નથવાણી, ઈલાબેન નંદાણી અને પ્રજ્ઞાબેન ગઢિયાના ભાઈ તથા સ્વ.ચંદ્રકાંતભાઈ શાંતિલાલ સુચકના જમાઈ તેમજ જયેશભાઈ, દિલીપભાઈના બનેવીનું તા.૧૦ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૩ને ગુરૂવારે રાખેલ છે. નિતીનભાઈ હાલાણી મો.૭૫૬૭૭ ૦૩૭૮૦, રાજેશકુમાર નથવાણી મો.૯૮૨૪૫ ૯૪૫૮૫
વૃજલાલ કારીયા
રાજકોટઃ તાલાલા ગીર હાલ રાજકોટ વૃજલાલ ત્રિભોવનદાસ કારીયા (ઉ.વ.૭૪) તે સ્વ.ત્રિભોવનદાસ ડાયાભાઈ કારીયાના પુત્ર તેમજ વિમલભાઈ (નિડર સેલ્સ કોર્ર્પોરેશન) તથા દિપકભાઈ (રોયલ સેલ્સ કોર્પોરેશન) તથા હીમાબેનના પિતાશ્રી તેમજ અજીતકુમાર ઠકકર તથા મીતાબેન અને જયશ્રીબેનના સસરા, પ્રાગજીભાઈ ત્રિભોવનદાસ બુધ્ધદેવના જમાઈ તા.૧૧ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૩ ગુરૂવાર સાંજે ૪ કલાકે નિવાસસ્થાને ગાર્ડન સીટી, ડી- તુલીપ, સાધુ વાસવાણી રોડ, ઓસ્કાર સીટી સામે, રાજકોટ સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે. વિમલભાઈ કારીયા મો.૯૪૨૮૨ ૫૭૬૧૩, દિપકભાઈ કારીયા મો.૯૪૨૮૨ ૫૭૬૧૪
હિંમતલાલ રાવલ
રાજકોટઃ જામનગર નિવાસી હિંમતલાલ કરશનભાઈ રાવલ (ઉ.વ.૮૩) તે કાંતિભાઈ તથા ચંદ્રકાંતભાઈનાં ભાઈ, કિશોરભાઈના પિતાશ્રીનું તા.૧૧નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ને ગુરૂવારનાં રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન સહજાનંદન સોસાયટી શેરી નં.૪, લાલપુર ચોકડી પાસે, રણજીત સાગર રોડ, જામનગર મુકામે રાખેલ છે. કિશોરભાઈ રાવલ મો.૯૪૨૮૨ ૬૬૫૪૨
વીણાબેન શાહ
રાજકોટઃ વીણાબેન રમેશભાઈ શાહ (ઉ.વ.૭૬) તા.૯ને રવિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું મો.૯૮૨૫૦ ૭૭૧૬૯, મો.૯૮૨૪૨ ૩૪૦૦૭ ઉપર તા.૧૩ને ગુરૂવારના રોજ સવારના ૧૦ થી ૧૨ કલાકે રાખેલ છે.
મણીબેન લીમ્બડ
રાજકોટઃ ધોરાજી નિવાસી મચ્છુકઠીયા સઈ સુતાર મિસ્ત્રી ટપુભાઈ ગોરધનદાસ લીમ્બડના ધર્મપત્નિ ગંગા સ્વ.મણીબેન ટપુભાઈ (હરિલાલ) લીમ્બડ (ઉ.વ.૧૦૨)નો તા.૧૧ને મંગળવારના રોજ વૈકુંઠવાસ થયેલ છે. તેમનું બેસણું ગુરૂવાર તા.૧૩ના રોજ સાંજે ૪ થી ૫ દરજી જ્ઞાતિની વાડી, ચામડીયા કુવા પાસે રાખેલ છે. ફોન ૦૨૮૨૪ ૨૨૧૦૨૬, મો.૯૪૨૯૪ ૧૭૪૫૯, મો.૯૪૦૮૦ ૦૫૮૫૪
લીલાવંતીબેન દોશી
રાજકોટઃ મોટા વાગુદળ નિવાસી સ્વ.ઈન્દુલાલ પીતામ્બરભાઈ દોશીના ધર્મપત્નિ લીલાવંતીબેન (ઉ.વ.૮૨) તે હીતેશભાઈ, દેવેન્દ્રભાઈ, દીવુબેન અશોકકુમાર, ઈલાબેન શૈલેષકુમાર, જયોતિબેન જાતિનકુમાર, માલતીબેન ધર્મેન્દ્રકુમાર, કિસોરીબેન પારસકુમારના માતુશ્રી, આશિષ, કૃણાલ, ચિરાગના દાદી તા.૧૦ને સોમવારના રોજ અરિહંત શરણ ધ્રોલ ખાતે થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૩ને ગુરૂવારના રોજ બપોરે ૩ થી ૫ કલાકે મોટા વાગુદળ મુકામે રાખેલ છે. હિતેન્દ્રભાઈ દોશી મો.૯૫૫૮૮ ૪૬૮૮૯, દેવેન્દ્રભાઈ દોશી મો.૯૯૭૪૬ ૦૯૨૯૮ (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
ભુપતભાઈ વ્યાસ
રાજકોટઃ ભુપતભાઈ દયાશંકર વ્યાસ ચિખલિયા હાલ રાજકોટ જે જીગ્નેશભાઈ, વર્ષાબેન, હીનાબેન, સ્વ.શીતલબેનના પિતા તેમજ સ્વ.ગૌરીશંકરભાઈ જૂનાગઢ, લલિતભાઈ ચિખલિયાના ભાઈનું તા.૧૧ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ને ગુરૂવારે તેમના નિવાસસ્થાન પાસે સૂર્યપાર્ક સોસાયટી, પાણીના ટાંકા સામે સૂરેસ્વર મહાદેવના મંદિરે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮૭૯૫ ૩૫૨૩૪
મયંક આડેસરા
રાજકોટઃ ધ્રોલવાળા સ્વ.સોની જીવણલાલ લક્ષ્મીચંદભાઈ આડેસરાના પૌત્ર તથા કિરીટભાઈ જીવણલાલ આડેસરાના પુત્ર સ્વ.મયંક તે લક્ષાશના મોટાભાઈ તથા ભાર્વિ અને રાજવીરના પિતાશ્રી તે મોરબી નિવાસી સોની દલસુખભાઈ અમૃતલાલ રાણપરા (ખાખરેચીવાળા)ના જમાઈ તા.૧૦ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. પરીસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બને પક્ષનું બેસણું ટેલીફોનીક તા.૧૩ના ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૬ રાખેલ છે.
મનીષ વ્યાસ
રાજકોટ : ઔદિચ્ય ઝાલાવાડી મૂળ જેતલસર નિવાસી, હાલ જેતપુર ઇન્દુભાઇ મણિશંકર વ્યાસ તથા સ્વ. રંજનબેનના પુત્ર મનીષ (ઉ.વ.૩૯) તે ઉપેન્દ્રભાઇ મનુભાઇ વ્યાસ (વિજય ઝેરોક્ષ)નાં નાનાભાઇનું તા. ૧૧ને અવસાન થયું છે. સદ્ગતનું બેસણુ તા. ૧૩ને ગુરૂવારે સાંજે ૩.૩૦ થી ૫.૩૦ ગાયત્રી મંદિર, જેતપુર ખાતે રાખેલ છે.
કાંતિભાઇ રાવરાણી
ધોરાજી : ભુખી નિવાસી કાંતિભાઇ પ્રાગજીભાઇ રાવરાણી, તે અશ્વિનભાઇ તથા જીતુભાઇના પિતાશ્રી તા. ૧૧ ને મંગળવારના રોજ રામચરણ પામેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૩ ને ગુરૂવારના રોજ બપોરે ૩ થી પ ચામુંડા માતાજીના મંદિરે ભૂખી રાખેલ છે.
છોટાલાલભાઇ પોપટ
વેરાવળ : વિઠલજીભાઇ જીવનભાઇ પોપટના પુત્ર છોટાલાલભાઇ (ઉ.૮૩) તે ભરતભાઇ, દીપકભાઇ (એસ. બી. આઇ.), નીતિનભાઇ, જીતેન્દ્રભાઇ (ક્રિષ્ના સીકયુરીટી), જયોતીબેન દીલીપકુમાર ખોડા (લંડન)ના પિતાશ્રી તથા પીનલ, તેજસ, કોમલ, ધ્રુવીલ, સિધ્ધાર્થ, કોશા, નીવા, આરવના દાદાનું તા. ૧૦ મીએ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. ૧૩ ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે.
શારદાબેન બોસમીયા
રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય ગં.સ્વ. શારદાબેન દુર્લભદાસ બોસમીયા (બગસરા-હાલ આણંદ) (ઉ.વ.૮૫) તે સ્વ. પરષોત્તમદાસ કેશવદાસ છાટબાર (બાબરાવાળા)ના પુત્રી તથા સ્વ. વજુભાઇ, સ્વ. મનહરભાઇ તથા રસિકભાઇ છાટબારના મોટા બહેનનું તા. ૮ના આણંદ મુકામે અવસાન થયું છે. સદ્દગતની સાદડી (બેસણુ) તા. ૧૩ના ગુરૂવારે સાંજે ૫ થી ૬, બ્રહ્મક્ષત્રિય વાડી, પેડક રોડ રાજકોટ ખાતે સાંજે ૫ થી ૬ રાખેલ છે.
મનહરલાલ સોથાણી
રાજકોટ : મનહરલાલ રતીલાલ સોથાણી (ઉ.વ.૭૯) તે રાજેશભાઇ મનહરલાલ સોથાણી તથા જયશ્રી ચીરાગભાઇ પટેલના પિતાશ્રી તેમજ કૌશિકા રાજેશભાઇ પટેલના સસરા તથા સોહમ રાજેશભાઇ પટેલના દાદાજીનું તા. ૧૧ ના મંગળવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઇ સરકારની ગાઇડ લાઇન મુજબ સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૧૩ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૯૭૯૩ ૧૪૪૩૯ ઉપર સંપર્ક કરી શકાશે.