અવસાન નોંધ
સંગભાઇ મેર
મોરબી : જેસંગભાઇ પરસોતમભાઇ મેર (ઉ.વ.૮ર) તે દીપકભાઇ, રાજુભાઇ, છાયાબેન, ક્રિષ્નાબેન, કોમલબેનના પિતાજીનું તા. ૭ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૯ ગુરૂવારે સાંજે ૪ થી ૬ કુબેરનાથ મહાદેવ મંદિર, ગ્રીન ચોક પાસે, મોરબી રાખેલ છે.
જયેશભાઇ ભટ્ટ
રાજકોટ : સોરઠી શ્રી ગૌડ માળવી બ્રાહ્મણ મુળ ખારીખીજડીયા હાલ રાજકોટ સ્વ. સુરેશભાઇ નાથાલાલ ભટ્ટના જયેષ્ટ પુત્ર જયેશભાઇ (ઉ.વ.પ૮) તે નીલેશભાઇ (આજકાલ પરિવાર) ના વડિલ બંધુ તે અભયભાઇ અને બિરજભાઇના પિતાશ્રી તે માધવભાઇ (સંદેશ ચેનલ), અમનના મોટાબાપુજીનું તા. ૮/૧ર ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૦/૧ર ને શુક્રવારે સાંજે ૪ થી ૬ ધારેશ્વર મહાદેવ મંદિર હોલ, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખ્યું છે.
મુસ્તાકભાઈ શીયામવાળા
રાજકોટઃ મુસ્તાકભાઈ અબ્દુલાભાઈ શીયામવાળા (ઉ.વ.૭૪) કૈઝર ઈલકેટ્રીકલ્સ (મામા) મસઉદભાઈના પિતાશ્રી તા.૮ને બુધવારના રોજ અવસાન પામેલ છે. મરહુમના જીયારતના સીપારા તા.૧૦ને શુક્રવારે બપોરે ૧:૩૦ વાગ્યે એકજાન સોસાયટી હોલમાં રાખેલ છે.
વીણાબેન મનાણી
રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા વીણાબેન જગદીશભાઈ મનાણી (ઉ.વ.૬૪) તે જગદીશભાઈ રામજીભાઈ મનાણીના ધર્મપત્નિ તથા મૌલીકભાઈ, હિનાબેન ટાંક, ધર્મિષ્ઠાબેન ટાંક, દિપ્તીબેન પરમાર, પૂજાબેન ટાંકના માતુશ્રીનું તા.૭ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ને શુક્રવારના રોજ સાંજે ૩ થી ૬, શ્રીરામ કુટીર, ૭- અલ્કા સોસાયટી, મવડી મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
મધુબેન આશરા
રાજકોટ : બ્રહ્મક્ષત્રિય શ્રીમતી મધુબેન તે સ્વ.મનહરલાલ નરભેરામભાઈ આશરાના ધર્મપત્નિ, સ્વ.હસમુખલાલ, ડો.જગદીશભાઈ તથા સુરેશભાઈના ભાભી તેમજ વિમલભાઈ, ભરતભાઈ અને નીતાબેન પ્રતિકકુમાર સોનેજીના માતુશ્રીનું તા.૯ના ગુરૂવારના રોજ અવસાન થયુ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૦ના શુક્રવારે સવારે ૧૦ કલાકે સદર ઉપાશ્રય, ૧૫, પંચનાથ પ્લોટ, હવેલીની બાજુમાં, રાજકોટ મુકામે રાખેલ છે.
ભાવેશભાઇ ચંદારાણા
રાજકોટઃ મોરબી નિવાસી ભાવેશભાઇ ચંદારાણા (ઉ.વ.૪૫) તે લલીતભાઇ દેવચંદભાઇ ચંદારાણા તથા અનસુયાબેન ચંદારાણાના પુત્ર શિતલના પતિ તથા રચીતના પિતા તથા પ્રિતીબેન ચેતનભાઇ પાટડીયા, તથા અમિષના ભાઇ તથા પ્રવિણભાઇ પ્રાગજીભાઇ રવેશીયાના જમાઇ તથા જયેશભાઇ, નિકુંજભાઇ રવેશીયાના બનેવીનું તા.૮ બુધવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું અને સાદડી તા.૧૦ શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૬ દરમિયાન મોરબી ખાતેના જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ ખાતે રાખેલ છે.
રમેશભાઇ માણેક
રાજકોટઃ રમેશભાઇ પ્રેમજીભાઇ માણેક (રીટાયર્ડ ગુજરાત હાઉસીંગ બોર્ડ રાજકોટ) તે જયશ્રીબેનના પતિ પરેશ તથા ચેતનના પિતાશ્રી તે છોટાલાલ હંસરાજ જીવરાજાણી (ગારીયાધાર) ના જમાઇનું તા.૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.૧૦ને શુક્રવારના રોજ સાંજે ૫ કલાકે તેમના નિવાસ સ્થાન 'રમેશ ભુવન-૧' જંકશન પ્લોટ કો.ઓ.હા. સોસાયટી, ગોરેશ્વર મંદિર પાસે રાજકોટ ખાતે રાખેલ છે.
માજીરાજબા ઝાલા
રાજકોટઃ ઘીયાવડ નિવાસી માજીરાવબા બહાદુરસિંહ ઝાલા (ઉ.વ.૯૬) તે વિક્રમસિંહ બહાદુરસિંહ ઝાલા, પૃથ્વીસિંહ બહાદુરસિંહ ઝાલા, રણજીતસિંહ બહાદુરસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલાના માતુશ્રી તથા વિજયસિંહ વિક્રમસિંહ ઝાલાના દાદીમાંનું તા.૭ને મંગળવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. ઉત્તરક્રિયા તા.૧૭ને શુક્રવારે તેમના વતન મુ. ઘીયાવડ (તા. વાંકાનેર) મુકામે રાખેલ છે.
મનોજભાઈ પંડયા
રાજકોટઃ ચા.મચ્છુકાઠીયા મોઢ બ્રાહ્મણ મુળ- કોટડાનાયાણી હાલ- રાજકોટ મનોજભાઈ ભગવાનજીભાઈ પંડયા (ઉ.વ.૪૮) જે સ્વ.ભગવાનજીભાઈ પંડયાના પુત્ર તેમજ ગીતાબેન તેમજ કીરીટભાઈના નાનાભાઈ તેમજ મુકેશભાઈ તેમજ સ્વ.હસમુખભાઈ તેમજ જીતેશભાઈનાં મોટાભાઈ તેમજ વૈભવનાં પિતાશ્રી તેમજ પાર્થના ભાઈજી તેમજ કુકમા શાન્તિલાલ હિરાલાલ જોશીના જમાઈનું તા.૮ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તેમજ સસુર પક્ષનું બેસણું તા.૧૦ને શુક્રવારનાં રોજ સાંજે ૪ થી ૫ બજરંગવાડી ૧૩, મધુવન એપાર્ટમેન્ટમાં રાખેલ છે.
રણુભા રાયજાદા
રાજકોટઃ સ્વ.રણુભા ગગુભા રાયજાદા (મજેવડી)નું તા.૯ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ શનિવારે બપોરે ૩ થી ૬ ''યમુના કુંજ'', કલ્યાણ નગર-૧, સહકાર મેઈન રોડ, રાજકોટ મો.૯૬૨૪૩ ૬૨૪૦૧, નરેન્દ્રસિંહ રણુભા રાયજાદા (પુત્ર), અનિરૂધ્ધસિંહ રણુભા રાયજાદા (પુત્ર), ભગીરથસિંહ નરેન્દ્રસિંહ રાયજાદા (પૌત્ર), રૂષીરાજસિંહ અનીરૂધ્ધસિંહ રાયજાદા (પૌત્ર)