ભકિતકાર ધર્મેશભાઇ દોશીના માતૃશ્રી રેખાબેન અરિહંત શરણ પામ્યા : સોમવારે ઉઠમણું
રાજકોટઃ ભક્તિકાર ધર્મેશભાઈ દોશી ના માતુશ્રી રેખાબેન ભદ્રેશભાઈ દોશી(ઉ.વ.૬૬) તે ઘારશી શામજી દોશી ધી વાળા હસમુખભાઇ હેંમતલાલ દોશીના પૌત્રવધુ અને સેજલબેન પુનમભાઈ દેશાઈ ના માતુશ્રી, તોરલબેનના સાસુ, દેશના તથા મોક્ષના દાદી,રૂષભના નાની તા.૮ ના રોજ અરિહંત શરણ પામેલ છે. સદગતનું ઉઠમણું તથા પ્રાર્થના સભા તા.૧૧ને સોમવારના રોજ સવારે ૧૦ કલાકે માંડવી ચોક દેરાસર, સોની બજાર, રાજકોટ ખાતે રાખેલ છે. ધર્મેશભાઈ (મો.નં. ૯૪૨૭૭ ૨૪૩૦૮)
અવસાન નોંધ
વિનોદરાય રાજાણી
રાજકોટઃ ગો.વા. વિનોદરાય કરશનદાસ રાજાણી (ટીનુભાઇ) જામજોધપુરવાળા તે સ્વ. ભીખાલાલ કરશનદાસ રાજાણી, સ્વ. કુમારભાઇ કરશનદાસ રાજાણી, ભરતભાઇ કરશનદાસ રાજાણી, કિરીટભાઇ કરશનદાસ રાજાણી, હસમુખરાય કરશનદાસ રાજાણીના ભાઇ તથા ધરમ વિનોદરાય રાજાણીના પિતા તેમજ સંજય ભીખાલાલ રાજાણી, રવિ કિરીટભાઇ રાજાણીના કાકા તા.૫ને મંગળવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું બેસણું તા.૯ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે સન્યાસ આશ્રમ જામજોધપુર ખાતે રાખેલ છે.
રૂબાબબેન
રાજકોટઃ દાઉદી વ્હોરા રૂબાબબેન રસુલભાઇ (ઉ.વ.૭૪) તે રસુલભાઇ તાજભાઇ ધનકોટના પત્નિ માસુમાબેન હુસેનીભાઇ લોટીયા (વડોદરા)ના માતુશ્રી તા.૭ને ગુરૂવારના રોજ રાજકોટ મુકામે વફાત થયા છે.
પ્રવિણાબેન ગુસાણી
રાજકોટઃ સ્વ.પ્રવિણાબેન પ્રાણલાલ ગુસાણી તે મનોજભાઈ, ભાવેશભાઈ, ઈલાબેન, કિરણબેનના માતુશ્રી તથા મૌલિક અને સ્મિતના દાદી તથા ભુજ નિવાસી સોની રણછોડદાસ મેઘજીભાઈ કોંઢીયાના દિકરીનું તા.૭ ગુરૂવારના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ને શુક્રવાર બપોરે ૩:૩૦ થી ૫ વાગ્યે સ્થળ કોઠારીયાના નાકે, ખિજળાવાડી, યુનીટ નં.૧, રાજકોટ ખાતે રાખેલ છે.
મગનભાઇ ચાવડા
મોટી કુંકાવાવઃ મગનભાઇ ટપુભાઇ ચાવડા ઉ.વ. ૮૦ તે લીલાધરભાઇ, હિતેશભાઇ તેમજ ઇલાબેન મુકેશકુમાર સોલંકી (મહિકા) નાં પિતાશ્રી તથા જયમીનના દાદાનું તા. ૭ નાં રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૯ શનિવારના રોજ સાંજના ૩ થી પ તેમનાં નિવાસસ્થાને રાખેલ છે.
લતાબેન પીલોજપરા
રાજકોટઃ ગુર્જર સુથાર લતાબેન નિખિલભાઈ પીલોજપરા (ઉ.વ. ૬૩) તેઓ નિખિલભાઈ મોહનભાઈ પીલોજપરા (નિખિલ મોટર્સ)ના ધર્મપત્ની તથા જીજ્ઞાસાબેન સચિનકુમાર સુરેલિયા, પૂજાબેન નીરવકુમાર છત્રાલિયા અને હાર્દિકભાઈ નિખિલભાઈ પીલોજપરાના માતૃશ્રી તથા સ્વ. વ્રજલાલભાઈ વેલજીભાઈ વાલંભીયા (મોરબી)ના દિકરી અને નીતિનભાઈ વ્રજલાલભાઈ વાલંભીયાના બહેન તા. ૬ના શ્રીજીચરણ પામેલ છે. બેસણુ તા. ૯ના શનિવારે શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ રાખેલ છે. પિયરપક્ષનું બેસણુ પણ સાથે જ રાખેલ છે. સ્વ. ગિરધરભાઈ મોહનભાઈ પીલોજપરા, નિખિલભાઈ મો. ૯૮૭૯૮ ૩૬૮૬૬, જયેશભાઈ મો. ૯૪૨૮૭ ૦૦૧૧૪, હરસુખભાઈ મો. ૯૮૨૪૯ ૪૧૧૨૦, હાર્દિકભાઈ મો. ૯૭૨૪૯ ૪૯૧૩૦, નીતિનભાઈ મો. ૯૪૨૬૨ ૪૦૮૩૭, સચિનકુમાર મો. ૯૮૨૫૦ ૧૦૯૧૦, નીરવકુમાર + ૬૧ ૪૨૧૧૧૫૪૪૯, ધવલભાઈ મો. ૯૯૦૯૯ ૩૯૬૯૨, તેજસ મો. ૯૪૨૭૪ ૯૭૨૬૧
પરસોત્તમભાઈ ઠકરાર
રાજકોટઃ સ્વ.લાલજીભાઈ દામોદરભાઈ ઠકરાર (ભણગોર)ના પુત્ર તેમજ સ્વ.કાંતિભાઈ (રાજકોટ) તથા સ્વ.કિશોરભાઈ (યુ.કે.)ના મોટાભાઈ તથા કૌશલ તથા સમીરના અદા સ્વ.પરસોત્તમભાઈ (ઉ.વ.૮૭) લાલજીભાઈ ઠકરારનું તા.૨૬ના રોજ લંડન (યુ.કે.) મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૯ શનિવારના રોજ સાંજે ૪ થી ૪:૩૦ કલાકે રાખેલ છે. કૌશલ ઠકરાર મો.૯૮૯૮૦ ૫૪૨૬૯, સમીર ઠકરાર મો.૯૩૭૭૩ ૫૩૪૩૧
લલીતાબેન ચૌહાણ
રાજકોટઃ સ્વ.કરશનભાઈ મગનભાઈ ચૌહાણના ધર્મપત્નિ લલીતાબેન કરશનભાઈ ચૌહાણ (ઉ.વ.૯૦) તે સ્વ.દિનેશભાઈ કરશનભાઈ ચૌહાણ તથા નરેન્દ્રભાઈ કરશનભાઈ ચૌહાણના માતુશ્રી તા.૭ના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૯ શનિવારના રોજ ૪ થી ૫ સ્વાશ્રય સોસાયટી કમ્યુનીટી હોલ મવડી મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે. નરેન્દ્રભાઈ કરશનભાઈ ચૌહાણ (ચૌહાણ મોટર ગેરેજ) મો.૯૮૭૯૧ ૫૬૪૦૭