અવસાન નોંધ
પત્રકાર સુશિલભાઈ ત્રિવેદીના સાળાનું નિધનઃ શુક્રવારે બેસણું
રાજકોટઃ ભાવનગર નિવાસી શિવલાલ મોહનલાલ જાનીના પુત્ર ભોળાભાઈ શિવલાલ (ઉ.વ.૪૭) તે રંઘોળા હાલ ભાવનગર તે સોમનાથ તથા રવિનાથ જાનીના પિતા, ભાવનાબેન ભરતકુમાર મહેતા- સિહોર, દક્ષાબેન પ્રદીપકુમાર ત્રિવેદી (ભાવનગર), પલ્લવીબેન સુશીલકુમાર ત્રિવેદી (રાજકોટ), દેવેન્દ્રભાઈ શિવલાલ જાનીના ભાઈ અને ખોપાળા રાવલ ઘનશ્યામભાઈ તથા રાજુભાઈ રાવલના બનેવીનું તા.૬/૧૨ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું શુક્રવારે સાંજે ૪ થી ૬ રમાવાડી સિન્ધુનગર, ઔ.સ.ઝાલાવાડી ૪૫૦ની વાડી ભાવનગર ખાતે રાખવામાં આવ્યું છે
રમીલાબેન કોટેચા
રાજકોટઃ ગો.વા.રમીલાબેન વ્રજલાલ કોટેચા તે વ્રજલાલ વલ્લભદાસ કોટેચાના ધર્મપત્નિ તથા વિશાલ અને દર્શનના માતુશ્રી તા.૫ સોમવારના રોજ ગોલોકવાસ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૮ ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન ભીમનાથ મહાદેવ મંદિર, અર્ચના પાર્ક, યુનીવર્સીટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
મનસુખભાઈ ડોડીયા
રાજકોટઃ કારડીયા રાજપુત રાજકોટ નિવાસી મનસુખભાઈ પ્રેમજીભાઈ ડોડીયા (ઉ.વ.૬૪) તે સ્વ.બહાદુરભાઈ અને જીવણભાઈના નાનભાઈ તથા મનહરભાઈ, સ્વ.હરીસીંગભાઈ, ભાવસીંગભાઈના મોટાભાઈ તથા અમીતભાઈના પિતાશ્રી અને યશરાજના દાદાનું તા.૪ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૮ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે રાજનગર કો. હોલમાં, રાજનગર શેરી નં.૧, રાજકોટ ખાતે રાખેલ છે.
વૃજલાલ પાટડીયા
રાજકોટઃ સોની વૃજલાલ રામજીભાઈ પાટડીયા (ઉ.વ.૮૩) તે સ્વ.પ્રભુદાસ રામજીભાઈ તથા સ્વ.બાબુલાલ રામજીભાઈના ભાઈ અને ચેતનાબેન (પરેશકુમાર ગોરધનભાઈ માંડલીયા)ના પિતા તેમજ સ્વ.અમૃતલાલ લક્ષ્મીચંદ આડેસરાના જમાઈનું તા.૫ના રોજ અવસાન થયેલ છે. બન્ને પક્ષનું સદ્દગતનું બેસણું તા.૮ના ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ રામેશ્વર મહાદેવ મંદિર સુતા હનુમાન વાળી શેરી પુનિતનગર રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સુરેશભાઇ ચિત્રોડા
રાજકોટઃ લુહાર સુરેશભાઈ બેચરભાઈ ચિત્રોડા તે નિલેષભાઈ અને નિપાબેનના પિતાશ્રી તથા રૂપલબેનના સસરા, શુભમ, પ્રિયાંશુ, જાનવીના દાદા, રાહુલ કિરીટભાઇ પરમારના નાના અને મોરબીવાળા નરોતમભાઈ મગનભાઈ પીઠવા, ચંદ્રકાન્તભાઈ પીઠવા તથા કનાભાઈ પીઠવાના બનેવી તેમજ મહાકાળી હાર્ડવેરવાળા કપિલભાઈ ચંદુભાઈ ચૌહાણ, જીગ્નેશ ચૌહાણના બહેનના સસરાનું તા.૬ના અવસાન થયું છે. તેમનું બેસણુ તા. ૯ના શુક્રવારે સાંજે ૪ થી ૬, નારાયણ નગર શેરી નં. ૧ રીવા રેસિડેન્સી બ્લોક નં. ૧૦૪, પારૂલ બગીચાની સામે પેડક રોડ બાલા હનુમાન નજીક રાખેલ છે.
સરજુબેન પરમાર
રાજકોટ : પરમાર સરજુબેન ખોડાભાઇ (ઉ.વ.૮ર) કે જેઓ રણમલભાઇ, માનસિંગભાઇ, અમરશીભાઇ, દિલીપભાઇ, દાનસિંગભાઇ, શૈલેષભાઇ, કુંદનબેન તથા કંચનબેનના માતુશ્રી તેમનું તા. ૩ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૮ ને સાંજે ૪ થી ૬ 'ભગવતી કૃપા', શેરી નં. ૪, ન્યુ લાલબહાદુર સોસાયટી, ઢેબર રોડ (સાઉથ) ખાતે રાખેલ છે.
કુંદનબેન
રાજકોટ : ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. લલીતભાઇ મગનલાલ જોશીનાં ધર્મપત્ની ગં. સ્વ. કુંદનબેન, તે ચંદ્રકાંત કાન્તીલાલ પંડયાના મોટાબેન, રાગીણીબેન, સ્વ. પુષ્પાબેન, તૃપ્તીબેન, મમતાબેન તથા આરતીબેનનાં માતુશ્રીનું દિલ્હી ખાતે તા. ૩ ના અવસાન પામેલ છે. તેમનું પીયર પક્ષનું બેસણુ તા. ૮ ને ગુરૃવારે રામેશ્વર મંદિર એરપોર્ટ રોડ ખાતે સાંજે પ થી ૬ રાખેલ છે.
ચંદ્રીકાબેન કનૈયાલાલ
રાજકોટ : વાણંદ ચંદ્રીકાબેન કનૈયાલાલ વિઠલાપરા તે કનૈયાલાલ પ્રભુભાઇ વિઠલાપરાના ધર્મપત્ની તથા સુનિલભાઇ, અશ્વિનભાઇ, કિશનભાઇના માતુશ્રી તથા પોરબંદરવાળા છોટાલાલ ગોરધનદાસ સુરાણીના બહેનનું તા. ૬ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૮ ને ગુરૃવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને બજરંગવાડી મેઇન રોડ ખાતે રાખેલ છે.
કાંતિભાઇ ધોરડા
રાજકોટ : પરજીયા પટ્ટણી સોની, હલેન્ડા વાળા, હાલ રાજકોટ કાંતિભાઇ પરસોત્તમભાઇ ધોરડા (ઉવ.૮૯) તા. ૮ના શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તા. ૮ને ગુરૃવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કલાકે પંચનાથ મંદિર રાજકોટ મુકામે રાખેલ છે.
કોકીલાબેન પારેખ
રાજકોટઃ સોની સ્વ.ગિરધરલાલ હરજીવનભાઈ પારેખના પુત્ર સ્વ.મહેન્દ્રભાઈ ગિરધરલાલ પારેખના પત્ની કોકીલાબેન મહેન્દ્રભાઈ પારેખ (ઉ.વ.૬૮) તે સ્વ.નિશીત મહેન્દ્રભાઈ પારેખ, રીના હિતેશકુમાર ઝીઝુવાડીયા તથા ભાવિની અજયકુમાાર પાટડીયા તથા મોહિત, જીગરના દાદી તા.૫ના રોજ અવસાન પામેલ છે. તે ગોંડલ નિવાસી ચંદુલાલ ગોકલદાસ પાટડીયાની પુત્રી તે પ્રકાશભાઈ, કિશોરભાઈ, રાજુભાઈના મોટાબહેન તેમનું બંને પક્ષનું બેસણું તા.૮ ગુરૃવાર સાંજે ૩:૩૦ થી ૫ વાગ્યે સ્થળ- પારેખ વાડી ખત્રીવાડ, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ધીરજલાલ શાહ
રાજકોટઃ સ્વ.હરિલાલ ભુરાલાલ શાહનાં પુત્ર ધીરજલાલ હરિલાલ શાહ તે નરેન્દ્રભાઈ, સ્વ.નવીનભાઈ, નીતિનભાઈ અને વિજયભાઈનાં મોટાભાઈ, તે હરિલાલ શિવજીભાઈ દોશીનાં જમાઈ, પુનિતાબેનનાં પતિ તથા મનીષા રૃપેશ મહેતા, આશિષ અને હિરેનનાં પિતાશ્રીનું તા.૬ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ને ગુરૃવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે શ્રી સીમંધર પ્રભુ દિગંબર જિન મંદિર, ૫- પંચનાથ પ્લોટ, કાનજી સ્વામી માર્ગ, રાજકોટ ખાતે રાખેલ છે.
શાંતિલાલ દેવાણી
રાજકોટઃ હાલાઈ લોહાણા શાંતિલાલ મકનજીભાઈ દેવાણી (ઉ.વ.૮૪) મુળ ગામ કેશોદ હાલ દહિંસર તે રમાબેનના પતિ, સ્વ.મોહનલાલ વીરજી ગટેચાના જમાઈ, સ્વ.કૃષ્ણકાન્તભાઈ, કૌશિકભાઈ, રેખાબેન સંજયભાઈ પુજારા, નીલમબેન અમિતભાઈ રાજદેવ તથા રશ્મિબેન પ્રણવભાઈ તન્નાના પિતાશ્રી, તે દિપ્તિબેન કૌશિકભાઈ દેવાણીના સસરા, સ્વ.છોટાલાલ, સ્વ.ગોરધનદાસ, સ્વ.મોહનલાલ, સ્વ.મનગલાલ, સ્વ.તુલસીદાસ, સ્વ.મોંઘીબેન પ્રભુદાસ રૃઘાણી, સ્વ.માણેકબેન ગીરધરલાલ તન્ના, સ્વ.મુકતાબેન પ્રભુદાસ કારિયાના ભાઈ તા.૪ને રવિવારના દહિંસર મુકામે ગૌલોકવાસી થયેલ છે. સદ્દગતની બન્ને પક્ષની પ્રાર્થના સભા તા.૮ને ગુરૃવાર રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ છે. સ્થળ- શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સમાજ સંઘ (સર્વોદય હોલ), બીજે માળે, એલ.ટી.રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ) મુકામે રાખેલ છે.
જયંતિભાઇ ઘરોડીયા
વાંકાનેરઃ સ્વ. મનજીભાઇ ધરોડીયા (માજી પ્રમુખ નગરપાલીકા વાંકાનેર) ના પુત્ર જયંતિભાઇ ઘરોડીયા (ઉ.વ.૭૧) તે જીતેન્દ્રભાઇ રામચંદ્રભાઇ, તથા અલ્પેશભાઇના પિતાશ્રીનું તા.૫-૧૨ના રોજ અવસાન થયેલ છે.
સદ્ગતનું બેસણું તા.૯ શુક્રવારે સાંજે ૪ થી ૬ પ્રજાપતી જ્ઞાતિની વાડી મીલપ્લોટ વાંકાનેર ખાતે રાખેલ છે.
સાગરભાઇ બાઘોરા
રાજકોટઃ અ.નિ.બારોટ સાગરભાઇ રાણાભાઇ બાઘોરા (ઉ.વ.૮૩) તેઓ ચંદુભાઇ (કુવાડવા)ના મોટાભાઇ, કિરણભાઇ તથા અજીતભાઇના પિતાશ્રી, ડો.પ્રણવ તથા ડો. હર્ષિતના દાદા તથા નંદલાલભાઇ બી. ખરવડ (ધ્રાંગધ્રા) ના બનેવી તા.૬ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ૦૮ ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ૧- આર્યનગર, પેડકરોડ, વિઠ્ઠલકૃપા, રાજકોટમાં રાખેલ છે.
મુકુન્દલાલ ગઢીયા
રાજકોટઃ મુકુન્દલાલ મોહનલાલ ગઢીયા (ઉ.વ.૮૫) તે હિતેષભાઈ, મનીષભાઈ, પ્રજ્ઞાબેન, દર્શનાબેનના પિતાશ્રી, સ્વ.શાંતિલાલના મોટાભાઈ, નરેશકુમાર પોપટ, નિલેશકુમાર કકકડના સસરા, સુરેશભાઈ, મહેન્દ્રભાઈ અને ગીરધરલાલ કોટકના બનેવી, સ્વ.પ્રભુદાસભાઈ બુધ્ધદેવ, સ્વ.વ્રજલાલ કારીયાના સાળાનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૮ ગુરૂવારના રોજ સાંજે ૫ કલાકે ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. છે.
રાજેન્દ્રભાઈ ત્રિવેદી
રાજકોટઃ સ્વ.રાજેન્દ્રભાઈ ભાઈશંકર ત્રિવેદી (ઉ.વ.૭૩) તે કમલેશભાઈ ત્રિવેદીના પિતાશ્રીનું તા.૧ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન શાંગ્રીલા એપાર્ટમેન્ટ, બેન્કવેટ હોલ, ગોરવા તળાવ સામે, વડોદરા ખાતે તથા તા.૯ ને શુક્રવારના રોજ બપોરના ૨ થી ૪ દરમિયાન અરવિંદ સોસાયટીનો હોલ, દાળમીલ રોડ, સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવેલ છે.
પુષ્પાબેન મહેતા
રાજકોટઃ નિવાસી મોઢ વણિક પુષ્પાબેન ચંદુભાઈ મહેતા (ઉ.વ.૮૬) તે અતુલભાઈ ચંદુભાઈ મહેતા (પુત્ર), ઈલાબેન અતુલભાઈ મહેતા (પુત્રવધુ), સન્નીભાઈ અતુલભાઈ મહેતા (પૌત્ર), ધ્રુવ અતુલભાઈ મહેતા (પૌત્ર), કાશ્મીરાબેન અશ્વિનભાઈ છાપિયા અને લીનાબેન અતુલકુમાર મહેતાના માતુશ્રીનું તા.૬ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૮ના સાંજે ૪ થી ૫ કલાકે ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.