અવસાન નોંધ
જુનાગઢ કાઠી સમાજના અગ્રણી પુ. બાવકુભાઇ વાળાનું અવસાનઃ સાંજે બેસણું
જુનાગઢઃ કાઠી સમાજના અગ્રણી બાવકુભાઇ નાનાભાઇ વાળા (ઉ.વ.૬૪) તે વનરાજભાઇ તથા શિવરાજભાઇ વાળા (લોકસાહિત્યકાર) તથા યુવરાજભાઇના પિતાનું તા.૩૦ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૪ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ ખાંટ સમાજની વાડી આદિત્યનગર-ર જોષીપરા ખાતે રાખેલ છે.
હેમંતલાલ કાનાણી
પોરબંદરઃ સ્વ. હેમંતલાલ હરીદાસભાઇ કાનાણી (ઉંમર વર્ષ-૭પ) જે ભરતભાઇ, સ્વ. કિશોરભાઇ, બીપીનભાઇ તથા સુભાષભાઇ કાનાણી, મોટાભાઇ સંદિપભાઇ કાનાણી, જલ્પાબેન જીજ્ઞેશકુમાર ઉનડકટ તથા હેતલબેન મેહુલકુમાર ઉનડકટના પિતાશ્રી કરશનદાસ નંદલાલ ધુણા-મીઠાપુરના જમાઇ તા. ૩ રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. ૪ સોમવાર બપોરે ૪-૧પ થી ૪-૪પ કલાકે લોહાણા મહાજન વાડી પ્રાર્થના સભા હોલ-પોરબંદરમાં રાખેલ છે. સંદિપભાઇ હેમંતલાલ કાનાણી મો. ૯૮રપ૩ ૮૩૩૯ર
ઇન્દ્રવદન ઓઝા
રાજકોટઃ શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ રાજકોટ નિવાસી સ્વ. હરશંખર ગૌરીશંકર ઓઝાના દિકરા ઇન્દ્રવદન હરખશંકર ઓઝા (ઉ.વ.૭૦) તે ધવલભાઇ કમલભાઇ (બિરજુભાઇ)ના પિતાશ્રી તેમજ સ્વ. અનંતરાય, રજનીભાઇ, ગુણવંતરાય, મુદુલાબેન ઓઝાના નાનાભાઇ તેમજ રાધાબેન ચૌહાણ, હર્ષાબેન રાઠોડના બનેવીનો તા.૨ને શનિવારે કૈલાસવાસ થયેલ છે. બંને પક્ષનું ઉઠમણું તા.૪ને સોમવારે સાંજના ૫ થી ૬ રામેશ્વર હોલ, રામેશ્વર પાર્ક, બાપાસીતારામ ચોક પાસે રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.
સૌરભભાઇ વ્યાસ
રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સતર તાલુકાના સ્વ. હર્ષદભાઇ સી. વ્યાસના મોટા પુત્ર અભયભાઇના મોટાભાઇ સૌરભભાઇ વ્યાસનું તા.૧ના અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૪ને સોમવારે સાંજે ૪ થી ૬ નીલાબેન એચ વ્યાસ જામનગર રોડ નાગેશ્વર મંદિર પાસે પટેલ ચોક પછી પ્રભુ પેલેસ ફલેટ રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૮૨૪૨ ૦૦૩૦૨
હરેશભાઇ ચાવડા
રાજકોટઃ નિવાસી સ્વ.હરેશભાઈ ચીમનલાલ ચાવડા (ઉ.વર્ષ.૫૩) જે ભાવનાબેન હરેશભાઈ ચાવડાના પતિ તથા કેવલ ચાવડાના પિતાશ્રી તથા શ્રી ચીમનલાલ વાલજીભાઈ ચાવડાના પુત્ર તથા રણજીતભાઇ ચીમનભાઇ ચાવડા (રાજકોટ નાગરીક બેંક ) કિશોરભાઈ ચાવડા, નિમેલાબેન પ્રકાશભાઈ ભટીના ભાઈ તથા પ્રશાંતભાઈ ચાવડાના કાકા તથા અર્પિતા ચાવડા ના મોટા બાપુ તથા ગ. સ્વ.હંસાબેન હેમંતભાઈ ચાવડાના ભત્રીજા તથા હિરેનભાઈ ચાવડા તથા જયેશભાઈ ચાવડાના ભાઇનું તા. ૨ના અવસાન થયેલ છે. જેનું બેસણું તા.૪ ના સોમવારે શ્રી રામમંદિર, રામનગર, ગોંડલ રોડ, રાજકોટ ખાતે ૪ થી ૬ રાખેલ છે. રણજીત ૯૮૨૪૯ ૧૦૫૬૦, કેવલ -૯૮૨૪૩ ૩૦૨૫૦, કિશોર ૯૮૨૪૨ ૮૫૧૯૫.
અંબાશંકર જોષી
રાજકોટઃ ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ અંબાશંકર વૃજલાલ જોષી (ઉ.વ.૮૨) તે રામપ્રસાદભાઈ નિવૃત શિક્ષક કેશોદ અને રતીલાલભાઈ નિવૃત પ્રોફેસર પોરબંદર પન્નાબેન ભીખાલાલ પાઠક રાજકોટના મોટાભાઈ તેમજ ચેતનભાઈ, યજ્ઞેશભાઈ, હિરેનભાઈ અને શ્રધ્ધાબેનના ભાયજીનું તા.૨ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ના સોમવારે કોઠારીયા રોડ ૩ દેવપરા રાજકોટ મુકામે તેમજ તા.૭ના ગુરૂવારે સ્વસ્તી, અમૃતનગર મેઈન રોડ, બોરડ યાન સામે કેશોદ મુકામે રાખેલ છે.
દયાબેન હિંડોચા
રાજકોટઃ દયાબેન હેમરાજભાઈ હિંડોચા તે સ્વ.દિલીપભાઈ હિંડોચાના માતુશ્રી તથા તિલક તેમજ વિણાબેન, ચાંદનીબેન, મનીષાબેન અને ખુશ્બુબેનના દાદીમાંનું તા.૨ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૪ સોમવારે બપોરે ૪ થી ૫ ટેલીફોનીક રાખેલ છે.
જોશનાબેન અમૃતિયા
રાજકોટઃ કોલકી નિવાસી (હાલ રાજકોટ) જોશનાબેન મોહનભાઈ અમૃતિયા (ઉ.વ.૬૭) તે મોહનભાઈ માવજીભાઈ અમૃતિયાના ધર્મપત્નિનું તા.૨ના શનિવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૪ના સોમવારે સાંજે ૪ થી ૭ રાખેલ છે. મોહનભાઈ માવજીભાઈ અમૃતિયા મો.૯૯૯૮૨ ૪૯૧૮૦, વલ્લભભાઈ માવજીભાઈ અમૃતિયા મો.૯૮૯૮૮ ૨૬૨૮૫, મનિષભાઈ મોહનભાઈ અમૃતિયા મો.૯૯૯૮૨ ૪૯૦૨૬, વિશાલભાઈ મોહનભાઈ અમૃતિયાનો સંપર્ક કરી શકાય છે.
કિરણસિંહ જાડેજા
લોધીકાઃ મુળ ગામ પીપરડી (તા. જામકંડોરણા) હાલ લોધીકા હંસાબા કિરણસિંહ જાડેજા (ઉ.વ. ૬૯) તે પરિમલસિંહ કિરણસિંહ જાડેજાનાં માતૃશ્રીનું તા. ૧ ને શુક્રવારના અવસાન થયેલ છે.
સવિતાબેન ઉનડકટ
જુનાગઢઃ નિવાસી સવિતાબેન ખીમજીભાઇ ઉનડકટ (ઉ.વ.૮૫) તે રમેશભાઇ, હરેશભાઇ, ધીરૂભાઇ અને ભાવેશભાઇના માતૃશ્રીનું તા.૨ એ શનિવારે અવસાન થયેલ છે. બેસણું તા.૪ સોમવારે હાટકેશ્વર મંદિર, ગંધ્રપવાડા લેઇન ખાતે સાંજે પ થી ૬ કલાકે રાખેલ છે.