Gujarati News

Gujarati News

News of Friday, 26th January 2018

વીઝાની મુદત પૂરી થઇ ગયા પછી પણ કુવૈતમાં રોકાઇ ગયેલા ભારતીયો માટે સારા સમાચારઃ પ્રતિદિન ભરવાની થતી ૪૨૪ દિનારની પેનલ્‍ટી કુવૈત સરકારે માફ કરી

કુવૈતઃ વીઝાની મુદત પૂરી થઇ ગયા પછી પણ રોકાઇ ગયેલા ભારતીયોને કુવૈત સરકારે પેનલ્‍ટીમાંથી મુક્‍તિ આપવાનો નિર્ણય લીધો છે.

ખાસ કરીને નોકરીમાં રાખનાર કંપનીઓએ પગાર નહીં ચૂકવતા નાણાંના આપાવે વતનમાં પરત નહીં ફરી શકનાર ભારતીયો હવે વીઝાની મુદત પૂરી થઇ ગયા પછીના દિવસો માટે પ્રતિદિન ૪૨૪ દિનાર ભરવાની પેનલ્‍ટીમાંથી મુક્‍ત થઇ શકયા છે.

પેનલ્‍ટી માફી ૨૯ જાન્‍યુથી ૨૨ ફેબ્રુ ૨૦૧૮ દરમિયાન લાગુ પડશે. ઉપરાંત આ માફીના કારણે ભારતીય કામદારો ફરીથી રોજગારી માટે પણ કુવૈત જઇ શકશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:53 pm IST)