Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

હિમાચલમાં નેશનલ હાઈવે નંબર 707 જમીનદોસ્ત : ચંડીગઢને દહેરાદૂન સાથે જોડનારો મુખ્ય રસ્તો બંધ

થ્થરો ધસી પડવાના કારણે ગાડીઓ થોડા અંતરે રોકાઈ ગઈ:મોટી દુર્ઘટના ટળી.

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના નાહનમાં નેશનલ હાઈવે નંબર 707 જમીનદોસ્ત થઈ ચૂકયો છે. સતત વરસાદ અને ત્યારબાદ ભૂસ્ખલનના કારણે રસ્તો નાશ પામ્યો. હાઈવેનો આ ભાગ ચંડીગઢને દહેરાદૂન સાથે જોડનારો મુખ્ય રસ્તો છે. અહીં સ્થિતિ એી છે કે આ અકસ્માતે થોડો સમય આપ્યો તો લોકો પોતાનો જીવ બચાવી શક્યા. પથ્થરો ધસી પડવાના કારણે ગાડીઓ થોડા અંતરે રોકાઈ ગઈ આથી મોટી દુર્ઘટના ટળી હતી 

(12:43 pm IST)