Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

પી.ચિદમ્બરમ, મનમોહનસિંહ અને મોન્ટેકસિંહ અહલુવાલીયાએ અર્થવ્યવસ્થાને સુધારીઃ મોદી સરકાર ઉપર પ્રણવદાના પ્રહારો

નવી દિલ્હીઃ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સામાન્ય બજેટ રજૂ થાય તે પહેલા કોંગ્રસના નાણા પ્રધાનો અને અર્થશાસ્ત્રીઓએ દેશની અર્થવ્યવસ્થા બદલવાનો શ્રેય આપ્યો છે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું કે, પી.ચિદમ્બરમ, મનમોહનસિંહ અને મોન્ટેક સિંહ અહલુવાલિયા ભારતની અર્થવ્યવસ્થાને સુધારનારા ત્રણ વાસ્તુકાર રહ્યા છે. તેમણે પૂર્વ નાણા પ્રધાન ચિદમ્બરમનું પુસ્તક સ્પીકિંગ ટ્રુથ ટુ પાવરના લોકાર્પણ પ્રસંગે સંબોધનમાં આ વાત કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ હાલની મોદી સરકાર પર પણ પરોક્ષ રીતે પણ પ્રહાર કર્યો.

(3:48 pm IST)