Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

સેલ્ફી, મીઠાઇ, શોરબકોર, ચરણ સ્પર્શની મનાઇઃ ઉમા ભારતીની ઓફિસમાં લગાવાયા પોસ્ટરો

સામાન્ય રીતે નેતા લોકોને જય જયકાર અને ચરણ સ્પર્શ કરવામાં આવે તો ગમતુ હોય પરંતુ ઉમા ભારતી આની વિરૂધ્ધમાં

નવી દિલ્હી તા.૩૧ : સામાન્ય રીતે જોવામાં આવે છે કે રાજનીતિમાં મોટાભાગના રાજનેતાઓ ઇચ્છે છે કે સમર્થક તેમનુ સન્માન કરે, તેમનો જય જયકાર કરે, નારા લગાવે, સેલ્ફી લ્યે, ચરણ સ્પર્શ કરે, ભેટ આપે, મીઠાઇ આપે પરંતુ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીની ઓફિસમાં આનાથી ઉલ્ટુ છે. તેની ઓફિસમાં પોસ્ટરો લગાડવામાં આવ્યા છે અને જે ચોંકાવનારા છે. દિલ્હીના અકબર રોડ ઉપર ઉમા ભારતીના નિવાસ સાથે જોડાયેલી ઓફિસમાં અડધો ડઝન પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. જેમાં મુલાકાતીઓના સ્વાગત સાથે સ્પષ્ટ નિર્દેશ અપાયા છે કે તેઓ કેન્દ્રીય મંત્રી માટે મીઠાઇ ન લાવે. બીજા એક પોસ્ટરમાં લખાયુ છે કે મહેરબાની કરીને મંત્રીના ચરણ સ્પર્શ કરવાથી દુર રહેજો અન્ય એક પોસ્ટરમાં લખાયુ છે કે શાંતિ રાખો અને શોરબકોર ન કરો તો બીજા એક પોસ્ટરમાં લખાયુ છે કે લોકો મંત્રી સાથે સેલ્ફી કે ફોટો ન પાડે.

ઉમા ભારતીએ તાજેતરમાં જ કહ્યુ હતુ કે, આજની રાજનીતિ ચાપલુસી ભરી છે જે મને પસંદ નથી તેથી તેમણે ઉપરોકત પોસ્ટરો પોતાની ઓફિસોમાં લગાવ્યા છે. સ્ટાફને પણ જણાવાયુ છે કે, મુલાકાતીઓ પાસે નિર્દેશોનો કડક અમલ કરાવે. (૩-પ)

(10:28 am IST)