Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલની નારાજગીને લઈને મોડી સાંજે ધારાસભ્ય શ્રી બાબુ જમના પટેલના નિવાસસ્થાને એક બેઠક યોજવામાં આવી હતી જેમાં નીતિનભાઈ પટેલ, કૌશિકભાઈ પટેલ, ભુપેન્દ્રસિંહજી ચુડાસમા અને પ્રદીપસિંહજી જાડેજા હાજર રહ્યા હતા. આ બેઠક બાદ શ્રી ભુપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે "શ્રી નીતિન પટેલની નારાજગીનું ટૂંક સમયમાં જ સમાધાન થઈ જાશે. નીતિનભાઈ ભાજપના કર્મિષ્ઠ કાર્યકર્તા છે અને ભાજપ છોડવાની વાત સાવ ખોટી છે. હાર્દિક અને વીરજી ઠુમ્મર ખોટા સપના ન જૂએ. શ્રી નીતિન પટેલના મુદ્દાઓ અંગે ભાજપનું મોવડી મંડળ નિર્ણય લેશે." : આધારભૂત સુત્રોના અનુમાન મુજબ આજે મોડી રાત સુધીમાં આ કોકળું ઉકેલાય જઈ શકે છે.

(10:39 pm IST)