Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

હવે સંજયસિંહ એએપીથી રાજ્યસભામાં જઇ શકે છે

બે નામો ઉપર ફેંસલો હજુ પણ બાકી

નવીદિલ્હી,તા. ૩૦ : આમ આદમી પાર્ટી દિલ્હીથી પોતાના વરિષ્ટ નેતા સંજય સિંહને રાજ્યસભા મોકલી શકે છે. સુત્રોનું કહેવું છે કે પાર્ટીએ તેમનું નામ લગભગ નક્કી કરી લીધું છે. કુમાર વિશ્વાસ સમર્થકોના વધતા દબાણના કારણે સંજય સિંહનું નામ હવે નક્કી માનવામાં આવી રહ્યું છે. સુત્રોનું કહેવું છે કે, કુમાર વિશ્વાસના સમર્થક સતત પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે પાર્ટી કોઇ બહારની વ્યક્તિને રાજ્યસભા મોકલવાની વાત કેમ કરી રહી છે. વિશ્વાસના સમર્થક એમ પણ કહી રહ્યા છે કે, કામ કરનાર કાર્યકર્તાના બદલે કોઇ બહારની વ્યક્તિને મોકલવાનો નિર્ણય ખોટો છે. સાથે સાથે પાર્ટી નેતા કેટલાક મોટા નામોનો સંપર્ક કરી ચુક્યા છે પરંતુ કોઇએ પણ આમ આદમી પાર્ટી તરફથી રાજ્યસભામાં જવામાટેની તૈયારી દર્શાવી નથીજેથી પાર્ટી નક્કી કરી ચુકી છે કે, રાજ્યસભાની ત્રણ સીટોમાંથી એક સીટ પર સંજયસિંહને મોકલવામાં આવશે. સંજય સિંહના નામનો વિરોધ કુમાર વિશ્વાસ સમર્થક પણ કરશે નહીં.

 

(7:26 pm IST)