Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

વીર સાવરકર પરની ટીપ્‍પણી સ્‍વીકાર્ય નથી

રાહુલ ગાંધી સાથે વાત કરીશું: સંજય રાઉત

નવી દિલ્‍હી, તા., ૨૮: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વીર સાવરકર પર અપાયેલ સ્‍ટેટમેંટ પર હવે રાજકારણ શરૂ થયું છે. ઉધ્‍ધવ ઠાકરે જુથના નેતા સંજય રાઉતે કહયું કે વીર સાવરકર બાબતે રાહુલ ગાંધીએ ટીપ્‍પણી નહોતી કરવી જોઇતી, તેઓ એક સ્‍વાતંત્ર્ય સેનાની, ક્રાંતીકારી નેતા હતા અને તેમના માટે અમારા દિલમાં સન્‍માનની ભાવના છે.

રાઉતે જણાવ્‍યું કે, કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે અમે વાત કરી છે અને રાહુલ ગાંધી સાથે પણ અમે વાત કરીશું. અમે હંમેશા વીર સાવરકરનું સન્‍માન કર્યુ છે તેમની બેઇજ્જતના થવી જોઇએ.

જણાવી દઇએ કે રાહુલ ગાંધીએ શનિવારે એક પ્રેસ કોન્‍સફરન્‍સમાં કહયું હતું કે મારૂ નામ સાવરકર નથી, ગાંધી છે અને ગાંધી કોઇની માફી નથી માંગતા, આ સ્‍ટેટમેન્‍ટને લઇને હવે ભાજપા રાહુલ પર હુમલાઓ કરી રહી છે.

(3:43 pm IST)