Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

મતદાર તરીકે નામ નોંધાવવું હવે થયું છે આસાન :શું તમે જાણો છો ? મતદાર તરીકે નોંધણી માટે હવે વર્ષમાં લાયકાતની ૪ તારીખો નક્કી કરવામાં આવી છે.

મતદારયાદી સબંધીત વિવિધ ફોર્મમાં ફેરફાર કરવામાં આવ્યો છે :જેનો અમલ ૧લી ઓગસ્ટથી થશે

નવી દિલ્હી :ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં મતદારયાદી સબંધીત કાયદા , નિયમોમાં સુધારા જાહેર કરવામાં આવ્યા છે.આ સુધારા દ્વારા હવે મતદારો માટે મતદારયાદીમાં નામ નોધાવવા કે સુધારા-વધારા કરાવવાનું આસાન થયું છે.સૌથી મહત્વનો સુધારો યુવા મતદારો માટે મતદાર તરીકે નામ દાખલ કરાવવા સબંધીત છે.પહેલા નવા મતદાર તરીકે નામ નોધાવવા દર વર્ષે ૧લી જાન્યુઆરીના રોજની લાયકાત ધ્યાને લેવામાં આવતી હતી. આ નિયમમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે.આ શક્ય બન્યું છે, ૧૯૬૦ના મતદાર નોધણી નિયમ તેમજ લોક પ્રતિનિધિત્વ ધારો ૧૯૫૦ની કલમ ૧૪(બી) કે જે મતદારયાદીમાં નોધણી માટે મતદારની યોગ્યતા માટેની  લાયકાતની તારીખ સાથે સબંધિત છે તેમાં સુધારો કરવામાં આવતા હવે મતદાર તરીકે નોંધણી માટે વર્ષમાં ૪ લાયકાતની તારીખ નક્કી કરવામાં આવી છે.એટલે કે, હવે ૧લી જાન્યુઆરી, ૧લી એપ્રિલ, ૧લી જુલાઇ અને ૧લી ઓકટોબરના રોજ કે તે પહેલા જે યુવાનો ૧૮ વર્ષ પૂર્ણ કરતા હોય તેઓ મતદારયાદીમાં મતદાર તરીકે નામ નોધાવી શકે છે.આગામી ૧લી ઓકટોબર,.૨૦૨૨ના રોજ કે તે પહેલા જે યુવાનો ૧૮ વર્ષ પૂર્ણ કરતા હોય તેઓને આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવાની અમૂલ્ય તક મળવાની છે.આવા યુવા મતદારોએ મતદાનયાદીમાં નામ નોધાવવા હવે ક્યાંય જવાની પણ જરૂર નથી.ઘેરબેઠાં Voter Helpline App ડાઉનલોડ કરીને મતદારયાદીમાં નામ નોધાવી શકે છે, અથવા વેબસાઇટ http://voterportal.eci.gov.in અથવા http://www.nvsp.in ઉપર જઇને પણ નામ નોંધાવી શકાય છે. મતદાર તરીકે યોગ્યતા માટે લાયકાતની ૪ તારીખો નક્કી કરવામાં આવતા હવે હાલની મતદાન નોધણી પ્રક્રિયામાં ફેરફાર થવાનો છે, તે મુજબ

·         પહેલાં મતદાર તરીકે નામ નોધણી માટે મતદારની યોગ્યતા માટે લાયકાતની તારીખ વર્ષમાં માત્ર એક જ હતી.એટલે કે, ૧લી જાન્યુઆરીના રોજ કે તે પહેલા જેઓ ૧૮ વર્ષ પૂર્ણ કરતા હોય તેઓ જ મતદાર તરીકે નામ નોધાવી શકતા હતા અને મતદાન કરી શકતા હતા.જેના કારણે ૧લી જાન્યુઆરી બાદ વર્ષ દરમિયાન ૧૮ વર્ષ પૂર્ણ થતાં હોય તેવા યુવાનો મતદાર તરીકે નામ નોધાવી શકતા ન હતા અને મતદાન કરવાથી વંચિત રહેતા હતા.

·         Special Summary Revision (SSR) કાર્યક્રમ પણ ૧લી જાન્યુઆરીની લાયકાતની તારીખના આધારે હાથ ધરવામાં આવતો હતો.એટલે કે, અંતિમ મતદારયાદી ૧લી જાન્યુઆરીની લાયકાતની તારીખને ધ્યાનમાં રાખીને પ્રસિધ્ધ કરવામાં આવતી હતી.

·         પરંતુ હવે લાયકાતની ૪ તારીખ નક્કી થવાથી વર્ષમાં ગમે ત્યારે ૧૮ વર્ષ પૂર્ણ થતાં હોય તેવા યુવાનો તેમને લાગુ પડતી તારીખ ધ્યાનમાં રાખીને નવા મતદાર તરીકે ફોર્મ નં.૬ ભરીને Continuous Updation (સતત સુધારણા)  પૂર્વે મતદાર તરીકેનો દાવો રજૂ કરી શકે છે.

·         બીજા શબ્દોમાં કહીએ તો, કોઇપણ ભારતીય નાગરિક લાયકાતની ૪ તારીખને ધ્યાનમાં લઇને મતદાર તરીકેની યોગ્યતા માટે Special Summary Revision (SSR) દરમિયાન  અથવા તો અંતિમ મતદારયાદી પ્રસિધ્ધ થયાં બાદ સતત સુધારણા દરમિયાન પણ નામ નોધાવવા માટે અરજી કરવાની સુવિધા પ્રાપ્ત કરી શકે છે.

·         ઉપરોક્ત બાબતે  ધ્યાન રાખવાનું રહે કે દરેક લાયકાતની તારીખે યોગ્યતા ધરાવતા મતદાર કે જેમણે ફોર્મ નં.૬ ભરેલ છે તેવા ફોર્મ મતદાર નોધણી અધિકારી દ્વારા કર્વાટર વાઇઝ લાયકાતની તારીખ પ્રમાણે અલગ-અલગ રીતે દરેક કર્વાટરના પ્રથમ માસ પૂર્વે નિકાલ કરવામાં આવશે.

·         મતદાર તરીકે નામ નોંધાવવા માટે Special Summary Revision (SSR) દરમ્યાન અગાઉથી અરજી ન કરી શક્યા હોય તેવા યુવાનો ત્યારપછીના કર્વાટર દરમ્યાન મતદાર નોધણી માટેનો દાવો કરે તો અસ્વીકાર કરી શકાશે નહી. Special Summary Revision (SSR) દરમિયાન મતદાર તરીકે નામ નોંધાવવા માટે અગાઉથી દાવો રજૂ કરવાની યુવાનો માટે આ વધારાની સુવિધા છે.

(8:34 pm IST)