Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

જૈન દેરાસરમાંથી ૧૧ મૂર્તિ ચોરનાર બે ની ધરપકડઃ મૂર્તિઓ ન મળી

રાજકોટ તા. ર૬: મુંબઇના વસઇમાં સાતીવલીમાં આવેલા જૈન મંદિરમાં ૩૧ ડિસેમ્બર, ર૦ર૦ના વહેલી સવારે આરોપીઓએ અંદાજે પાંચ લાખ રૂપિયાની કિંમતની બે ચાંદીની અને નવ પંચધાતુની મૂર્તી ચોરી કરી હતી. વાલીવ પોલીસે કેસ નોંધ આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. મંદિરમાં થેલી ચોરી સીસીટીવીમાં ઝડપાય ગઇ હતી.

છેવટે નવી મુંબઇના નેરુળમાં રહેતા સુભાષ (ઉ.વ. ૩પ) અને રાજુ (ઉ.વ. ૩૦) આ મામલામાં ધરપકડ કરાય હતી. કોર્ટે તેમને ર૮ ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. તેમની પાસેથી મૂર્તિ મળી નહોતી.

(3:13 pm IST)