Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

કાબૂલ એરપોર્ટ પર ISISના હુમલાનો ખતરોઃ અમેરિકન એમ્બેસીએ નાગરિકોને એરપોર્ટ ન આવવાની સલાહ આપી

કાબુલ, તા.૨૬: અફઘાનિસ્તાનની સ્થિતિ જોઈ લોકો દેશ છોડી રહ્યા છે. કાબૂલ એરપોર્ટ પર દર રોજ હજારો સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. તેવામાં એરપોર્ટ પર પહોંચનારી ભીડ પર સંગઠન ISISના હુમલાની માહિતીથી અમેરિકન અધિકારીઓની ચિંતા વધી છે. આ સૂચના બાદ અમેરિકન સૈનિકોએ કાબૂલ એરપોર્ટ પર સુરક્ષા વધારી દીધી છે. સાથે અમેરિકાએ પોતાના નાગરિકોને કાબૂલ એરપોર્ટ તાત્કાલિક છોડવા કહ્યું છે. તેમજ હાલ નહીં આવવાની ચેતવણી આપી છે.

અમેરિકાના વિદેશ વિભાગે પોતાની ચેતવણીમાં કહ્યું કે કાબૂલ એરપોર્ટના ગેટની બહાર શક્ય સુરક્ષા સંકટના કારણે અમે અમેરિકન નાગરિકોને એરપોર્ટ ન આવવાની સલાહ આપી રહ્યા છીએ. જ્યાં સુધી અમેરિકન પ્રતિનિધિ તમને ન કહે ત્યાં સુધી એરપોર્ટ ગેટ પર આવવાથી બચે. કાબૂલમાં અમેરિકન દૂતાવાસ તરફથી જારી એક સુરક્ષા એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન નાગરિક જે એબી ગેટ ઈસ્ટ ગેટ અથવા નોર્થ પર છે તેમને તાત્કાલિક કાઢવા જોઈએ.

ભીડના કારણે અમેરિકા અને અન્ય દેશોના રાજનાયિકો, દૂતાવાસના સ્ટાફ, નાગરિકો અને તેમની સાથે કામ કરી ચૂકેલા અફઘાનિઓને કાઢવામાં મુશ્કેલી આવી રહી છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે મા-બાપ પોતાના બાળકોને એરપોર્ટની દિવાલોથી ચઢાવી રહ્યા છે.  ભીડ કન્ટ્રોલ કરવા અને લોકોને સુરક્ષિત કાઢવા માટે અમેરિકન દૂતાવાસના અધિકારીઓએ એક એડવાઈઝરી જારી કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે  કોણ કોણ હામિદ કરજઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી શકે છે. ઉલ્લેખનીય છે કે શનિવારે કાબૂલ એરપોર્ટ પર ભાગ દોડથી ૭ના મોત થયા હતા.

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમે એક અમેરિકન નાગરિક છો. અમેરિકાના કાયદેસરના સ્થાનિક નિવાસી, અપ્રવાસી વીઝા આવેદક છો અથવા અમેરિકન સરકારથી સંબદ્ધ છો અને તમને હામિદ કરજઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પ્રવાસ કરવા માટે વિશિષ્ટ નિર્દેશ પ્રાપ્ત છે તો તમે આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરે.

જો તમે SIV અથવા P1/P2ની પ્રક્રિયા શરુ કરી છે તો તમને આવતા તબક્કા અંગે નિર્દેશ આપવામાં આવશે. પરંતુ કૃપ્યા સમજો કે આ પ્રક્રિયાના સમયમાં વિસ્તાર થઈ શકે છે.

જો તમે ઉપરોકત ગ્રુપોમાં ભાગ નથી પરંતુ અફઘાનિસ્તાન છોડવાની માંગ કરી રહ્યા છે અને ખાલી કરવા માટે એક સંગઠિત ખાનગી પ્રયાસનો ભાગ છે તો કૃપ્યા એરપોર્ટ પર  ત્યાં સુધી ન આવો જ્યાં સુધી તમને એરપોર્ટના અમારા ઉડાન આયોજક તરફથી પ્રવાસ કરવા માટે વિશિષ્ટ નિર્દેશ પ્રાપ્ત ન થાય.

આ ઉપરાંત જો તમારી પાસે એક સત્યાપિત આમંત્રણ નથી તો તમે એરપોર્ટમાં અથવા નિકાસી ઉડાનમાં જવાની પરવાનગી નહીં આપવામાં આવે

(12:25 pm IST)