Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

રામ મંદિર આંદોલનના મુખ્ય પ્રણેતા કલ્યાણસિંહની અસ્થિ કળશ યાત્રા યોજી ભાજપ માહોલ બનાવશે

૧લી સપ્ટેમ્બરે શ્રધ્ધાંજલી સભા ટોચના ભાજપ નેતાઓ હાજર રહેશે

મેરઠ તા. ર૬ :.. પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કલ્યાણસિંહની અસ્થિ કળશ યાત્રા કાઢવાની ભાજપ તૈયારી કરી રહ્યું છે, આ માટે ભાજપ - સંઘે આખો રૂટમેપ તૈયાર કરી લીધો છે., કળશ યાત્રા દ્વારા દિવગંત કલ્યાણસિંહના અસ્થીઓને કાશી, સંગમ- અને અયોધ્યાની સરચુમાં વિર્સજીત કરવાની યોજના બનાવાઇ છે.

વિગતો મુજબ આવતીકાલે નરોરામાં કલ્યાણસિંહનાં અસ્થિના ફુલ લવાશે, અને ૧ લી સપ્ટેમ્બરે શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરાયું છે, રામમંદિર આંદોલનમાં મુખ્ય ભાગ ભજવનાર કલ્યાણસિંહનું ગત તા. ર૧ ઓગસ્ટના રોજ નિધન થયું હતું. શ્રધ્ધાંજલી સભામાં તમામ મોટા નેતાઓ સામેલ થશે, કળશ યાત્રા દ્વારા યુપીમાં ભાજપ પોતાની તરફેણમાં માહોલ બનાવા માંગે છે, આખો માહોલ રામમય બનાવવાનો પ્લાન ઘડી કઢાયો છે.

(11:36 am IST)