Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

પત્નીનું મોત થતાં દુઃખી વૃધ્ધે ચિતામાં ઝંપલાવી દીધું : સ્થળ પર જ થયું નિધન

પગલાથી પરિવાર જ નહીં પરંતુ આખુ ગામ ચોંકી ગયું

ભુવનેશ્વર,તા.૨૬: કોરોના કાળમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનોનો ગુમાવ્યા છે. અહીં સુધી કે હજારો-લાખો એવા લોકો પણ છે જે હવે જીવનસાથીનો સાથ કયારેય મેળવી નહીં શકે. એવામાં ઓડિશામાંથી પત્નીના મોતથી દુખી પતિએ જે પગલું ભર્યું છે એ જાણી સૌ કોઇ હેરાન થવા પામ્યું છે.

અહીં એક વૃદ્ઘ વ્યકિત એમની પત્નીના મોતથી એટલા દુખી થઇ ગયા કે તેમણે પત્નીની ચિતામાં જ ઝંપલાવી દીધુ અને મોત ભેટી પડ્યા. આ દ્યટના ઓડિશાના કાલાહાંડી જિલ્લાની છે.

માહિતી અનુસાર જિલ્લાના સિઆલજોડી ગામમાં રહેતા ૬૫ વર્ષિય વૃદ્ઘે પત્નીની અંતિમ ક્રિયા દરમિયાન ચિતામાં જ છલાંગ મારી દીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ પત્નીના અંતિમ સંસ્કાર પછી વૃદ્ઘ એમના ચાર પુત્રો અને સંબંધીઓ સાથે પરંપરા મુજબ બાજુના તળાવમાં નહાવા માટે ગયા આ દરમિયાન વૃદ્ઘે એમની પત્નીની ચિતામાં ઝંપલાવી દીધું હતું.

વૃદ્ઘ વધારે દાઝી જવાને લીધે દ્યટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. તેઓ ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય હતા. તેમના દ્વારા ઉઠાવેલાં પગલાંથી પરિવાર જ નહીં પરંતુ આખુ ગામ ચોંકી ગયું હતું. વૃદ્ઘનો પરિવાર પણ આ દ્યટનાથી દુખી થયો હતો. જોકે પોલીસ દ્વારા સમગ્ર દ્યટના વિશે વિગતવાર માહિતી લેવામાં આવી રહી છે. પોલીસ મુજબ દ્યટનાની સંપૂર્ણ વિગતમાં માહિતીનો અભાવ છે જે અંગે તપાસથી જ ખુલાસો થશે.

(10:16 am IST)