Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

અરૂણાચલ પ્રદેશની ધરતી ફરી એક વખત ધ્રૂજી ઉઠીઃ ચાંગલાંગમાં ૩.પ ની તિવ્રતાનો ભૂકંપ

જો કે કોઇ જાનહાની કે નુકશાન ન થતા હાશકારો

નવી દિલ્‍હીઃ અરૂણાચલ પ્રદેશમાં ૩.પ ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

છેલ્લા કેટલાક સમયથી ભારતના જૂદા જૂદા વિલસ્તારોમાં ભૂતંપના સામાન્ય થી ભારે આચંકાઓ આવવાની ઘટનાઓ સામે આવી રહી છે, મહિનામાં ભાગ્યે જ કોઈ સપ્તાહ હશે કે જ્યારે કોઈ સ્થળે ભૂકંપ ન આવ્યો હોય ત્યારે અરુણાચલ પ્રદેશની ઘરતી ફરી એક વખત ઘ્રુજી ઇઠી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે અરુણાચલ પ્રદેશના ચાંગલાંગમાં રવિવારની મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પ્રમાણે આ આચંકાઓ મોડી રાત્રે 2. વાગ્યેને 15 મિનિટ આસપાસ નોંધાયા હતા. આ સહીત ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી.

ઉલ્લેખનીય છે કે આ પહેલી કે બીજી વખત નથી કે અરુણાચલ પ્રદેશમાં આ આચંકાઓ નોંધાયા હોય અનેક વખત અહી આ પ્રકારના ભૂકંપના આચંકાઓ નોંધાઈ ચૂક્યા છે. આ સહીત રાજસ્થાનમાં પણ અંદાજે 30 મિનિટ બાદ આચંકાઓ અનુભવાયા હતા. અરુણાચલ પ્રદેશમાં ભૂકંપ આવ્યાની 30 મિનિટ બાદ રાજસ્થાનની ધરતી પણ ધ્રૂજી. અહીં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બિકાનેરમાં આ ભૂકંપની તીવ્રતા 4.2 હતી. ભૂકંપનું કેન્દ્ર બિકાનેરથી 516 કિમી પશ્ચિમમાં હતું. અહીં પણ કોઈ નુકસાનની માહિતી નથી.

 

 

(3:54 pm IST)