Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

સુપર સ્‍ટાર અમીતાભ બચ્‍ચને ટવીટર પર ગભરાહટ ભરી ઘટનાનો ઉલ્‍લેખ કયા બાદ જ થોડી જ મીનીટોમાં શ્રીદેવીના મૃત્‍યુના સમાચાર આવવા લાગ્‍યા : આખરે સંજયકપુરે શ્રી દેવીના મૃત્‍યુના સમાચારની પુષ્‍ટિ કરી

મુંબઇહકીકતમા શનિવારે રાત્રે બિગબીએ ત્રણ ટ્વિટ કરી હતી. તેમાં પહેલી ટ્વિટ રાત્રે 1 વાગે કરી હતી. જેમાં દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ ટી-20 મેચ જીતવા પર ભારતીય ટીમને અભિનંદન આપ્યા હતા. તેના બાદ 1 વાગીને 13 મિનીટ પર તેમણે એક પુસ્તક વિમોચનની તસવીરો શેર કરી હતી. બિગ બીએ રાત્રે પોતાની છેલ્લી ટ્વિટ બે મિનીટ બાદ કરી હતી. એટલે કે 1 વાગીને 15 મિનીટ પર કરી હતી.

આ ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે, ન જાણે કેમ, અજબ પ્રકારની ઘબરાટ થઈ રહી છે. અમિતાભ બચ્ચનની આ ટ્વિટના થોડા સમય બાદ જ શ્રીદેવીના મોતના સમાચાર આવવા લાગ્યા હતા. જેના થોડા સમય બાદ બોની કપૂરના ભાઈ સંજય કપૂરે તેમની મોતના સમાચારની પુષ્ટિ કરી હતી.

@SoHail2502 ટ્વિટર હેન્ડલથી અમિતાભ બચ્ચનની આ ટ્વિટ પર એક રિપ્લાય કરાયો છે. જેમાં તેમણે લખ્યું છે કે, અમિતાભ સરે જેમ આ વાત શેર કરી, તેના 20 મિનીટ બાદ જ શ્રીદેવીના નિધનના સમાચાર આવ્યા.

અમિતાભ બચ્ચન અને શ્રીદેવીએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. 8 મેના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ખુદા ગવાહમાં શ્રીદેવીએ બેનઝીરનું પાત્ર ભજવ્યું હતું. જ્યારે કે અમિતાભ બચ્ચને બાદશાહ ખાનની ભૂમિકા કરી હતી. તેમની આ જોડી દર્શકોએ બહુ જ પસંદ કરી હતી.

(1:43 pm IST)