Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

રાહુલ ગાંધીના આકરા પ્રહાર:કહ્યું- જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિંહાએ કાશ્મીરી પંડિતોની માફી માંગવી જોઈએ

તેમણે કહ્યું કે કાશ્મીરી પંડિત ભીખ નહિ પરતું પોતાનો અધિકાર માંગી રહ્યાં છે.

નવી દિલ્હી : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે તેમણે કાશ્મીરી પંડિતોની માફી માંગવી જોઈએ. નોંધનીય છે કે કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલમાં જમ્મુ-કાશ્મીરમાં છે. તેમણે કહ્યું કે કાશ્મીરી પંડિત ભીખ નહિ પરતું પોતાનો અધિકાર માંગી રહ્યાં છે.

  ગત વર્ષે અલગ અલગ હુમલામાં 4 કાશ્મીરી પંડિતોના મોત થયા હતા અને તેના કારણે સમુદાયમાં ભય  ફેલાયો છે. વર્ષ 2019માં ધારા 370ની નાબુદી બાદ પણ કેટલાક શ્રમિક લોકો પર હુમલા થયા છે. રાહુલ ગાંધીએ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો અને તેમણે તેને “સૌથી મોટો મુદ્દો ગણાવ્યો હતો.

(8:48 pm IST)