Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

લો કર લો બાત

હવે હિમાલયની હવા પણ છે પ્રદૂષિત

શ્વાસ લેવાનું પણ મુશ્‍કેલ : અભ્‍યાસમાં ધડાકો

નવી દિલ્‍હી તા. ૨૩ : ઝડપથી દોડતા વાહનોને કારણે હિમાલયની હવા પ્રદૂષિત થઈ ગઈ છે. તાજેતરના સંશોધનમાં જાણવા મળ્‍યું છે કે હવામાં ૮૦ ટકા કાર્બન અશ્‍મિભૂત ઇંધણ એટલે કે પેટ્રો-ડીઝલના ધુમાડાથી ફેલાય છે. પ્રવાસીઓની મોટા પાયે અવરજવર તેનું મુખ્‍ય કારણ છે. ૨૦ ટકા ગૌણસ્ત્રોત એટલે કે બાયોમાસના બર્નિંગમાંથી છે.

આર્યભટ્ટ ઓબ્‍ઝર્વેશનલ સાયન્‍સ રિસર્ચ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ, નૈનીતાલ અને દિલ્‍હી યુનિવર્સિટીના સંશોધકોએ ચાર વર્ષ સુધી હિમાલયના જટિલ અને પ્રાચીન ભૂપ્રદેશ પર કાર્બન-સમૃદ્ધ એરોસોલનો અભ્‍યાસ કર્યો છે. જેમાં એવું બહાર આવ્‍યું હતું કે અશ્‍મિભૂત ઇંધણ બાળવાથી હિમાલયમાં આખા વર્ષ દરમિયાન વાયુ પ્રદૂષણની અસર રહે છે. આ સંશોધનનું નેતૃત્‍વ ડો.પ્રિયંકા શ્રીવાસ્‍તવે કર્યું હતું. જેમાં હિમાલયની હવામાં હાજર દરેક પ્રકારના કાર્બનની વિવિધ તરંગલંબાઇઓ પર ઓપ્‍ટિકલ શોષણમાં તપાસ કરવામાં આવી હતી. સંશોધનમાં જાણવા મળ્‍યું છે કે હિમાલયમાં વાહનોની સંખ્‍યામાં અનેકગણો વધારો થયો છે. આને કારણે, હવામાં અશ્‍મિભૂત ઇંધણનો હિસ્‍સો નોંધપાત્ર રીતે વધ્‍યો છે. ડો.શ્રીવાસ્‍તવના જણાવ્‍યા અનુસાર, આ અભ્‍યાસ હિમાલયના સ્‍વાસ્‍થ્‍ય અને આબોહવામાં આવેલા ફેરફારોને સમજવામાં મદદ કરશે. અભ્‍યાસના પરિણામો પરથી વધુ વ્‍યૂહરચના બનાવી શકાય છે

છેલ્લા ૧૦ વર્ષમાં ઉત્તરાખંડ અને હિમાચલમાં વાહનોની અવરજવર ૨૦૦ ગણી વધી છે. તમામ હવામાન માર્ગ બનાવવામાં આવી રહ્યો છે. જેના કારણે લોકો સીધા જ પોતાના વાહનોમાં બદ્રીનાથ, કેદારનાથ, કૈલાશ વગેરેથી હિમાચલ સુધીના સરહદી વિસ્‍તારો અને પ્રવાસન સ્‍થળોએ પહોંચી રહ્યા છે. ટ્રાફિક જામ નવી સમસ્‍યા બની છે. ગયા વર્ષે ૮૦ લાખથી વધુ પ્રવાસીઓ ઉત્તરાખંડ પહોંચ્‍યા હતા.

(10:45 am IST)