Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ખોટી ફિલ્મ બનાવાશે તો વિરોધ તો થશે જ : નાના

પદ્માવત અંગે નાનાની પ્રતિક્રિયા

        મુંબઈ, તા. ૨૩ : નિર્દેશક સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદ્માવતને લઇને વિરોધ પ્રદર્શન જારી છે ત્યારે આ અંગે અભિનેતા નાના પાટેકરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. જો ખોટી ફિલ્મ બનશે તો લોકો પ્રતિક્રિયા આપશે તેમ નાના પાટેકરે કહ્યું છે. નાના પાટેકર સાથે આ ફિલ્મને લઇને થયેલી વાતચીતનો વિડિયો સપાટી ઉપર આવ્યો છે. નાનાએ કહ્યું છે કે, જો ખોટી ફિલ્મો બનાવાશે તો વિરોધ પ્રદર્શન ચોક્કસપણે થશે. ફિલ્મની રિલીઝને લીલીઝંડી આપી દેવાઈ છે ત્યારે આ ફિલ્મને લઇને વિરોધ છે તે અંગે પૂછવામાં આવતા નાના પાટેકરે કહ્યું હતું કે, કોઇપણ ચીજ મુશ્કેલ નથી. ફિલ્મને લઇને હોબાળો થવાની બાબત સ્વાભાવિક છે. જ્યારે ફિલ્મને સેન્સર બોર્ડે લીલીઝંડી આપી દીધી છે ત્યારે ફિલ્મ રજૂ થશે. વાસ્તવિક વિષય ઉપર ફિલ્મ બનવી જોઇએ. જો યોગ્ય ફિલ્મ બનશે તો કોઇ વિરોધ થશે નહીં. ક્રાંતિવીર જેવી ફિલ્મ તેઓએ ફિલ્મ બનાવી હતી છતાં કોઇ વિરોધ થયો નથી. વિષયને કેશ કરાવવા ઇચ્છો છો કે પછી સંદેશ આપવા ઇચ્છો છે. વાસ્તવિકતા કેટલી છે. તે તમામ બાબતો આંખોમાં દેખાઈ આવે છે.

(8:36 pm IST)