Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

સંજય દત્તે કેન્સરને આપી મ્હાત

બાળકોના બર્થડે પર આવ્યા ખુશખબર : લાંબી પોસ્ટ મૂકી

મુંબઇ,તા.૨૨ : સંજય દત્તે હાલમાં જ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે તેમણે બીમારીને હરાવી દીધી છે. રિપોર્ટ પ્રમાણે, સંજય દત્ત ફેફસાના કેન્સરથી પીડાતા હતા. સંજય દત્ત રોગમુકત થયાની વાત જાહેર કરવા માટે તેમના બાળકોના જન્મદિવસને પસંદ કર્યો છે. આજે સંજય દત્ત્। અને માન્યતાના ટ્વિન્સ ઈકરા અને શહરાનનો ૧૦મો જન્મદિવસ છે.

 સંજય દત્તે એક લાંબી પોસ્ટ મૂકીને આ વાતની જાણકારી આપી છે. સંજયે લખ્યું,  છેલ્લા થોડા અઠવાડિયા મારા પરિવાર અને મારા માટે ખૂબ મુશ્કેલ હતા. પરંતુ કહેવાય છે ને કે ભગવાન મુશ્કેલ પરિસ્થિતિઓ તેમને જ આપે છે જે મજબૂતાઈથી લડી શકે. આજે મારા બાળકોના બર્થ ડે પર હું આ જંગમાંથી વિજયી થઈને આવ્યો છું. તેમને આપવા માટે મારી પાસે સૌથી સારી ગિફ્ટ છે- એ છે અમારા પરિવારનું સુખ અને સારું સ્વાસ્થ્ય.

સંજય દત્તે આગળ લખ્યું,  આ લડાઈ તમારા સૌના વિશ્વાસ અને સાથ વિના જીતવી શકય નહોતી. હું મારા પરિવાર, મિત્રો અને ફેન્સનો આભાર માનું છું કે જેઓ આ મુશ્કેલ સમયમાં મારી તાકાત બન્યા. તમારા પ્રેમ, ઉદારતા અને અસંખ્ય આશીર્વાદ માટે આભાર.

 પોસ્ટમાં આગળ સંજય દત્ત્।ે ડોકટરનો આભાર માન્યો છે. સંજુ બાબાએ લખ્યું,  હું ડો. સેવંતી તેમજ કોકિલાબેન હોસ્પિટલના તબીબો, નર્સો અને મેડિકલ સ્ટાફની ટીમનો આભારી છું. તેમણે છેલ્લા થોડા અઠવાડિયાઓમાં મારી ખૂબ કાળજી રાખી છે. કૃતજ્ઞ અને આભારી છું.

 ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનામાં સંજય દત્ત્।ે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેઓ મેડિકલ કારણોસર કામમાંથી બ્રેક લઈ રહ્યા છે. જેના થોડા જ સમયમાં અહેવાલ આવ્યા હતા કે સંજય દત્તને ફેફસાનું કેન્સર થયું છે. જો કે, હવે સંજય દત્ત સ્વસ્થ થઈ ગયા છે અને તેઓ આગામી ફિલ્મો 'KGF :ચેપ્ટર 2' અને 'શમશેરા' શૂટિંગ કરશે.

તો આ તરફ બાળકોના બર્થ ડે પર માન્યતા દત્તે પોસ્ટ મૂકી છે. માન્યતા, ઈકરા અને શહરાન ત્રણેયે પીળા રંગના કપડાં પહેર્યા છે અને બેકગ્રાઉન્ડમાં રંગબેરંગી ફુગ્ગા છે. આ તસવીરની સાથે માન્યતાએ દીકરા અને દીકરી માટે સુંદર કેપ્શન પણ લખ્યું છે. માન્યતાએ લખ્યું,  હેપી બર્થ ડે મારા બાળકો. પહેલા ડબલ ડિજિટનું સેલિબ્રેશન...સમય જલદી વિતી જાય છે. હિંમત, તાકાત, સ્વાસ્થ્ય, ખુશીઓ અને શાંતિ મળે તેવી કામના કરું છું. સાથે જ સાચા નિર્ણય લેવાની શકિત મળે તેવી પ્રાર્થના. તમને બંનેને હોંશિયાર બનતા જોઈને મારું જીવન સરળ અને આનંદમય બન્યું છે. ભગવાનના આશીર્વાદ સદાય તમારા બંને પર રહે.  આજે સંજય દત્ત્। કેન્સર મુકત થતાં પરિવાર માટે ડબલ સેલિબ્રેશનનો પ્રસંગ બની રહેશે.

(11:22 am IST)