Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

કેરળમાં કોરોનાનો કહેર વચ્ચે દેશમાં નવા 30.830 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 38.247 દર્દીઓ રિકવર થયા : વધુ 400 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.34.398 થયો :એક્ટીવ કેસ 3.47.552 થયા : કુલ કેસની સંખ્યા 3.24.23.356 થઇ

સૌથી વધુ કેરળમાં 17.106 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4575 કેસ,તામિલનાડુમાં 1652 કેસ, કર્ણાટકમાં 1350 કેસ,આંધ્રપ્રદેશમાં 1257 કેસ,ઓરિસ્સામાં 911 કેસ, પશ્ચિમ બંગાળમાં 678 કેસ, મિઝોરમમાં 645 કેસ, આસામમાં 640 કેસ,મણિપુરમાં 442 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા 34.288 કેસ નોંધાયા છે. જ્યારે 36.248 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 30/380 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 400 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.34.498 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 30.380 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.24.23.356 થઇ છે  એક્ટિવ સંખ્યા 3.47.552 થઇ છે છેલ્લા 24 કલાકમાં 38.247 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.16.28.670 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ કેરળમાં 17.106 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4575 કેસ,તામિલનાડુમાં 1652 કેસ, કર્ણાટકમાં 1350 કેસ,આંધ્રપ્રદેશમાં 1257 કેસ,ઓરિસ્સામાં 911 કેસ, પશ્ચિમ બંગાળમાં 678 કેસ, મિઝોરમમાં 645 કેસ, આસામમાં 640 કેસ,મણિપુરમાં 442 કેસ નોંધાયા છે 

(12:58 am IST)