Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

પંજાબ કોંગ્રેસનું કોકડું ઉકેલાવાની તદ્દન નજીક પહોંચ્યું: સિદ્ધુ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને ચાર કાર્યકારી પ્રમુખની નિયુક્તિ?

લાંબા સમયથી પંજાબ કોંગ્રેસમાં નવજોત સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે રાજકીય યુદ્ધ જામ્યું છે તેનો આજે અંત આવે તેવા એંધાણ મળે છે. મળતી વિગતો મુજબ નવજોતસિંહ સિદ્ધુ પંજાબ કોંગ્રેસના પ્રમુખ બનશે અને તેમની સાથે જ ચાર કાર્યકારી પ્રમુખોની પણ નિમણૂક થશે. દરમ્યાન એઆઈસીસીના જનરલ સેક્રેટરી હરીશ રાવતને મળ્યા પછી પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘે કહ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ દ્વારા જે કંઈ નિર્ણય લેવામાં આવશે તે સહુને માન્ય રહેશે. આમ નવી કોઈ ગૂંચ નહીં સર્જાય તો આજે સાંજ સુધીમાં મોડેથી પંજાબ કોંગ્રેસનો ઝઘડો શાંત પડી જાય તેવી સંભાવના છે.

(4:37 pm IST)