Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

રામ નવમી પર નાગપુરમાં ભવ્ય શોભાયાત્રા: મોહન ભાગવત અને નીતિન ગડકરી જોડાયા

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા: પોદ્દારેશ્વર રામ મંદિરની સામે સૌપ્રથમ ભગવાન રામના રથમાં ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાની પૂજા કરાઈ

નાગપુર : રામનવમી નિમિત્તે મહારાષ્ટ્રના નાગપુરમાં ભવ્ય રીતે શોભાયાત્રા નીકળી હતી. આ યાત્રામાં આરએસએસના વડા મોહન ભાગવત, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. નાગપુરના પોદ્દારેશ્વર રામ મંદિરની સામે સૌપ્રથમ ભગવાન રામના રથમાં ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાની પૂજા કરવામાં આવી હતી, ત્યારબાદ ભગવાનની આરતી બાદ સૌએ આ રથને ખેંચી લીધો હતો અને શોભા યાત્રા શરૂ કરવામાં આવી હતી.

 

 

(8:21 pm IST)