Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

રૂપાલાજી સ્વેચ્છાએ ખસી જવા તૈયાર થયા છે ? જાણીતા પત્રકાર પ્રશાંત દયાલના અહેવાલથી મોટો ખળભળાટ: અમિતભાઈના નિવાસસ્થાને મહત્વની બેઠક, મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, પ્રદેશ પ્રમુખ હાજર ?

રાજકોટ લોકસભાની બેઠક ઉપરથી ભાજપના શ્રી પરસોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યા બાદ ક્ષત્રિય સમાજમાં  આંતરિક રોષ  પરાકાષ્ઠા પર પહોંચ્યાનું અને ગ્રામ્ય વિસ્તારમાં પરિસ્થિતિ વણસી રહ્યાનું પારખી ગયેલ રૂપાલાજી દ્વારા પોતે સ્વેચ્છાએ ખસી જવા તૈયાર થયાનું જાણીતા પત્રકાર પ્રશાંત દયાલ દ્વારા સ્પષ્ટ રીતે જણાવ્યું છે. પોતાની ચેનલના માધ્યમથી આવા સંકેત આપતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.

 

યોગાનુયોગ ગુજરાત આવેલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના નિવાસસ્થાને ખૂબ મહત્વની મીટીંગ ચાલી રહ્યાનું અને આ બેઠકમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,  ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ અને રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી હાજર હોવાના સૂત્રોનાં અહેવાલને એક ગુજરાતી ચેનલ દ્વારા અનુમોદન મળી રહ્યું છે. વિશેષ વિગતો મેળવાઈ રહી છે.

 

(7:59 pm IST)