Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

પીએમ મોદીએ રામ લલ્લાના સૂર્ય તિલકના દર્શન કર્યા

પીએમ એ પ્રચાર દરમ્‍યાન દર્શન કરતી વખતે સેન્‍ડલ કાઢી નાખ્‍યા હતા : ‘નલબારી સભા પછી મને અયોધ્‍યામાં રામલલાના સૂર્ય તિલકની અદભૂત અને અનોખી ક્ષણ જોવાનું સૌભાગ્‍ય મળ્‍યું છે : શ્રી રામ જન્‍મભૂમિની આ બહુપ્રતિક્ષિત ક્ષણ દરેક માટે આનંદની ક્ષણ છે આ સૂર્ય તિલક વિકસિત ભારતના દરેક સંકલ્‍પને પોતાની દૈવી ઉર્જાથી આ રીતે પ્રકાશિત કરશે

નવી દિલ્‍હીઃ આજે સમગ્ર દેશમાં રામનવમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્‍યારે અયોધ્‍યાના ભવ્‍ય રામ મંદિરમાં ભગવાન રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્‍યું હતું. જ્‍યારે રામ મંદિરમાં રામલલાનો સૂર્ય તિલક સમારોહ ચાલી રહ્યો હતો, ત્‍યારે પીએમ મોદી આસામના નલબારીમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. પરંતુ જનસભાને સંબોધિત કર્યા પછી તરત જ પીએમ મોદીએ આ અદભૂત ક્ષણે રામલલાને પોતાના ટેબ દ્વારા દર્શન કર્યા હતા. પીએમ મોદીએ પોતે આ માહિતી અને ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્‍ટ પર પોસ્‍ટ કરીને શેર કર્યો છે.

ખાસ વાત એ છે કે, જ્‍યારે પીએમ મોદી રામ લલ્લાના સૂર્ય તિલકની અદભૂત ક્ષણ જોઈ રહ્યા હતા, ત્‍યારે તેમના પગમાં ચંપલ નહોતા. પીએમ મોદીએ રામલલાના દર્શન કરીને પ્રણામ કર્યા હતા. પીએમ મોદીએ પોતાની પોસ્‍ટમાં કહ્યું કે, ‘નલબારી સભા પછી મને અયોધ્‍યામાં રામલલાના સૂર્ય તિલકની અદભૂત અને અનોખી ક્ષણ જોવાનો સૌભાગ્‍ય મળ્‍યું છે. શ્રી રામ જન્‍મભૂમિની આ બહુપ્રતિક્ષિત ક્ષણ દરેક માટે આનંદની ક્ષણ છે. આ સૂર્ય તિલક વિકસિત ભારતના દરેક સંકલ્‍પને પોતાની દૈવી ઉર્જાથી આ રીતે પ્રકાશિત કરશે.

જણાવી દઈએ કે, રામ નવમીના અવસરે આજે અયોધ્‍યામાં અરીસા અને લેન્‍સથી બનેલી વિસ્‍તળત મિકેનિઝમ દ્વારા રામલલાનું સૂર્ય તિલક' કરવામાં આવ્‍યું હતું. આ યંત્ર દ્વારા સૂર્યના કિરણો રામની મૂર્તિના કપાળ સુધી પહોંચ્‍યા હતા. ૨૨ જાન્‍યુઆરીએ થયેલી નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામનવમી છે.

મંદિરના પ્રવક્‍તા પ્રકાશ ગુપ્તાએ જણાવ્‍યું હતું કે, ‘સૂર્ય તિલક લગભગ ચાર-પાંચ મિનિટ સુધી કરવામાં આવ્‍યું હતું, જ્‍યારે સૂર્યના કિરણો સીધા રામ લાલાની મૂર્તિના કપાળ પર કેન્‍દ્રિત હતા.' CSIR-CBRI, રૂરકીના મુખ્‍ય વૈજ્ઞાનિક ડૉ. ડીપી કાનુન્‍ગોએ જણાવ્‍યું હતું કે, ‘યોજના મુજબ, બપોરે ૧૨ વાગ્‍યે રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્‍યું હતું.' કાઉન્‍સિલ ઓફ સાયન્‍ટિફિક એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રિયલ રિસર્ચ (CSIR)-CBRI રૂરકીના વૈજ્ઞાનિક ડૉ એસકે પાણિગ્રહીએ કહ્યું હતું કે, ‘સૂર્ય તિલક પ્રોજેક્‍ટનો મૂળ ઉદ્દેશ્‍ય રામ નવમીના દિવસે શ્રી રામની મૂર્તિના માથા પર તિલક લગાવવાનો હતો.

(3:45 pm IST)