Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ચૂંટણી યુદ્ધની જેમ છે અને અમે પાંડવ છીએ

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પ્રહાર

બેંગ્લોર, તા.૧૬ : કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા શાસક કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર જંગ છેડાઈ ગઈ છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શાબ્દિક પ્રહાર કર્યા બાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ફરી એકવાર ભાજપ ઉપર વળતા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી પાંડવની જેમ છે અને ભાજપ કૌરવોની જેમ છે. પાંડવની આમા જીત થશે. બેંગ્લોરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, કોઇપણ ચૂંટણી યુદ્ધની જેમ હોય છે. અમે પાંડવ છીએ. અમે યોગ્ય રસ્તા પર આગળ વધી રહ્યા છે. ભાજપના લોકો કૌરવોની જેમ છે જે ખોટા રસ્તાઓ ઉપર જઇ રહ્યા છે. ભાજપ, સંઘ અને બજરંગ દળમાં આતંકવાદી તત્વો રહેલા છે તેવા સિદ્ધારમૈયાના અગાઉના નિવેદનથી હોબાળો મચી ગયો હતો અને ભાજપે આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. ભાજપ આ મુદ્દાને ચગાવવા ઇચ્છુક છે.

(7:27 pm IST)