Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

કેરળમાં કોરોનાનો કહેર ઘટતા દેશમાં નવા 24.657 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 36,849 દર્દીઓ રિકવર થયા : વધુ 438 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.32.112 થયો :એક્ટીવ કેસ 3.63.827 થયા : કુલ કેસની સંખ્યા 3.22.49.865 થઇ

સૌથી વધુ કેરળમાં 12.294 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4145 કેસ, તામિલનાડુમાં 1851 કેસ, કર્ણાટકમાં 1065 કેસ,આંધ્રપ્રદેશમાં 909 કેસ,ઓરિસ્સામાં 868 કેસ.આસામમાં 758 કેસ,પશ્ચિમ બંગાળમાં 502 કેસ

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે જોકે આજે કેસ ઘટતા  દેશમાં કોરોનાનાં નવા 24.657 કેસ નોંધાયા છે. જ્યારે 36.849 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 24.657 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 438 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.32.112 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 24.657 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.22.49.865 થઇ છે  એક્ટિવ સંખ્યા 3.63.827 થઇ છે છેલ્લા 24 કલાકમાં 36,849 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.14.41.260 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 12.294 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4145 કેસ, તામિલનાડુમાં 1851 કેસ, કર્ણાટકમાં 1065 કેસ,આંધ્રપ્રદેશમાં 909 કેસ,ઓરિસ્સામાં 868 કેસ.આસામમાં 758 કેસ,પશ્ચિમ બંગાળમાં 502 કેસ નોંધાયા છે

(1:04 am IST)