Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

કાબુલ એરપોર્ટ પર અંધાધૂંધીને કારણે સ્થળાંતર કામગીરી પ્રભાવિત : ભારત લોકોને બહાર કાઢવા અન્ય દેશોના સંપર્કમાં

અફઘાનિસ્તાનમાં તેના નાગરિકોની સુરક્ષા માટે ભારત શક્ય બધું કરશે

 

નવી દિલ્હી :  ભારત સરકાર પોતાના લોકોને બહાર નિકાળવા માટે અન્ય દેશોના સંપર્કમાં પણ છે. ભારત સરકારે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તે અફઘાનિસ્તાનમાં તેના નાગરિકોની સુરક્ષા માટે શક્ય બધું કરશે. સરકારે તેના તમામ મિશનમાં કામ કરતા કર્મચારીઓ અને લઘુમતીઓને બહાર નિકાળવાની યોજના તૈયાર કરી છે. જ્યારે વિદેશ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે કાબુલ એરપોર્ટ પર અંધાધૂંધીને કારણે સ્થળાંતર કામગીરી પ્રભાવિત થઈ છે.

(1:03 am IST)