Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

પાકિસ્તાન હવે નવા વિસ્તારોને નિશાન બનાવવાની રણનીતિમાંઃ કાશ્મીરમાં અનેક વિસ્તારોમાં હથીયારો પહોંચી ગયા

સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા. ૧૬ :. છેલ્લા એક પખવાડીયામાં જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે સુરક્ષા અધિકારીઓ ચોંકી ગયા છે કારણ કે મૃતક આતંકવાદીઓ પાસેથી મળેલા ખતરનાક હથીયારોથી સાવધાન રહેવુ જરૃરી છે. જમ્મુના નવા જિલ્લાઓમાં થયેલ આતંકવાદી ઘટનાઓથી એ સ્પષ્ટ થયુ છે કે પાકિસ્તાન હવે નવા વિસ્તારોમાં પરેશાની ઉભી કરવાની રણનીતિ ઉપર કામ કરી રહ્યુ છે.

રાજૌરી, પુંજ, ડોડા અને કિસ્તવાડ જેવા વિસ્તારોમાં આતંકવાદીઓ ફરીવાર માથુ ઉંચકી રહ્યા છે અને ડ્રોનથી હથીયારોની સપ્લાય સહિતની ગતિવિધિઓ ચિંતાનજક બાબત છે. આ ચારેય જિલ્લાઓમાં છેલ્લા એક પખવાડીયામાં બે ડઝન આતંકી ઘટનાઓ સામે આવી છે. જેમા અડધા ડઝનથી વધુ આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે જ્યારે અડધો ડઝન આતંકવાદીઓ પકડાઈ ગયા છે.

(4:16 pm IST)