Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

કરાચીમાં ટ્રક પર ગ્રેનેડ હુમલો : ૧૧ લોકોના મોત

કરાંચી,તા. ૧૬: પાકિસ્તાનના બંદર શહેર કરાચીમાં શનિવારે સાંજે હુમલાખોરોએ એક ટ્રક પર ગ્રેનેડ ફેંકયા હતાં. જેમાં ૧૧ લોકો માર્યા ગયા હતા અને અન્ય દ્યણા લોકો દ્યાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે મહિલાઓ અને બાળકો સહિત ૨૦ જેટલા લોકો ટ્રકમાં હતા અને તેઓ લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. આ હુમલો કરાચીના બલડિયા શહેરમાં થયો હતો. કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી અને વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે કોઈ નક્કર માહિતી નથી.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક અજાણ્યા શખ્સોએ ટ્રક પર ગ્રેનેડ ફેંકયા હતા, જયારે અન્ય લોકોએ કહ્યું હતું કે ટ્રકની અંદર વિસ્ફોટ થયો હતો. હુમલાની નિંદા કરતા કરાચી પોલીસના વડાએ કહ્યું હતું કે, 'ગ્રેનેડ હુમલાના પરિણામ સ્વરૂપે થયેલા વિસ્ફોટમાં ૧૧ લોકો માર્યા ગયા છે.' તેમણે કહ્યું કે ૧૧ મહિલાઓ મળી આવી છે, જેમાં છ મહિલાઓ અને ચાર બાળકોનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું કે વિસ્ફોટ અંગે તપાસ ચાલી રહી છે. તેમણે કેટલાક પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને કહ્યું કે મોટરસાયકલ પર આવેલા કેટલાક લોકોએ ગ્રેનેડ ફેંકયા અને ભાગી ગયા હતા.

(10:06 am IST)