Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

ટોક્યો ઓલિમ્પિકના વિજેતાઓનો અભિવાદન સમારોહ યોજાયો: ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા આયોજન

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર ઉપસ્થિત રહ્યા

નવી દિલ્હી :  ટોક્યો ઓલિમ્પિકના વિજેતાઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો. ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટોક્યો ઓલિમ્પિકમાં પદક વિજેતા ખેલાડીઓ તથા તેમના કોચના અભિવાદનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા.

  આ કાર્યક્રમમાં સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાને 75 લાખની રકમનો ચેક આપવામાં આવ્યો હતો. જ્યારે રજત ચંદ્રક વિજેતા મીરાબાઈ ચાનૂ તેમજ રવિ દહિયાને 40 -40 લાખની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તો કાંસ્ય ચંદ્રક વિજેતા પી.વી.સિંધૂ , લવલિના તથા બજરંગ પૂનિયાને 25-25 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરનાર દેશના આ ખેલાડીઓ માટે ભારત દેશ હંમેશા ગર્વાન્વિત રહેશે

(12:00 am IST)