Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે AAPના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર:સુનિતા કેજરીવાલનો સમાવેશ

કેજરીવાલ, મનીષ સીસોદીયા,સતેન્દ્ર જૈન,સંદીપ પાઠક ,પંકજ ગુપ્તા , ગોપાલરાય અને સંજયસિંહ સહિતના દિગજ્જ નેતાઓ સ્ટાર પ્રચારકો

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશભરમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. દરમિયાન, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આમ આદમી પાર્ટી દ્વારા જે નેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ પણ સામેલ છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં જેલમાં રહેલા સીએમ અરવિંદ કેજરીવાલનું નામ આ યાદીમાં પ્રથમ સ્થાને છે.  

આ સિવાય સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પણ સ્ટાર પ્રચારકોમાં સામેલ છે. આ સિવાય પંજાબના સીએમ ભગવંત માન, AAP નેતા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના નામ પણ લિસ્ટમાં સામેલ છે.

 

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમની પત્ની સુનીતા કેજરીવાલનું નામ પણ સામેલ છે. મનીષ સિસોદિયા અને સતેન્દ્ર જૈન ઉપરાંત સંદીપ પાઠક, પંકજ ગુપ્તા, AAP નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહના નામ સામેલ છે. આ યાદીમાં દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયનું નામ પણ સામેલ છે.

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં દિલ્હી સરકારના મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજના નામનો પણ સમાવેશ કર્યો છે. આ સિવાય રાઘવ ચઢ્ઢા, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન, અમન અરોરાના નામ પણ આ યાદીમાં છે

 

(8:54 pm IST)