Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ભાજપનું કમળ જ ખીલશે : પરસોત્તમ રૂપાલાનો વિજય હુકાર

રાજકોટ : લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તા અને ખેડૂત આગેવાન વિજય મુહુર્તમાં તેમનું નામાંકન પત્ર રજુ કર્યુ હતું.  આ તકે જાગનાથ મંદિર થી બહુમાળી ભવન ચોક  સુધી ભવ્‍ય પદાયાત્રા- રેલીમાં વિશાળ સંખ્‍યામાં કાર્યકર્તાઓ, શહેરીજનો, ગ્રામ્‍યજનો જોડાયા હતા. અને કમળમય માહોલ થકી સર્વત્ર કેસરીયો માહોલ છવાયો હતો. તેમજ ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્‍સાહ જોવા મળેલ હતો. ત્‍યારબાદ  બહુમાળી ભવન ચોક ખાતે પરશોતમભાઈ રૂપાલાજીના સમર્થનમાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, શહેરીજનો, ગ્રામ્‍યજનો ઘ્‍વારા અદકેરૂ અભિવાદન કરવામાં આવેલ. આ તકે ૧ હજારથી વધુ મહિલાઓ અને વિવિધ સમાજ-જ્ઞાતિના સમાજના આગેવાનો-પ્રતિનિધિઓ જોડાયા  હતા.  ત્‍યારબાદ  બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને ફુલહાર કરી પરશોતમભાઈ રૂપાલાના સમર્થનમાં વિશાળ ભવિજય વિશ્‍વાસભ સંમેલન યોજાયું હતું. તે વખતની તસ્‍વીરમાં મંચસ્‍થ સાંસદો, ધારાસભ્‍યો, પૂર્વ મેયરો, આગેવાનો તથા પદાધિકારીઓ તેમજ વિશાળ સંખ્‍યામાં કાર્યકરો નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરિયા)

(3:51 pm IST)