Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

એ હાલો ,,નવરાત્રીએ દયાભાભી ' તારક મેહતા' માં ગરબા લેશે ? સીરિયલમાં થશે પુન : એન્ટ્રી ?: આસિત મોદીએ આપ્યો જવાબ

શોમાં દયાભાભીના રોલમાં દિશા વાકાણીની એન્ટ્રી થાય છે કે કેમ ? દર્શકોની મિટ મંડાઈ

 

મુંબઈ : સોની સબ નો લોકપ્રિય સિરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ના  સેટ  પર તાજેતરમાં તમામ કલાકારોએ  3000 એપિસોડ પુરા થયાનું સેલિબ્રેશન કર્યું હતું. શો માં બે એકટર્સની બદલી પણ કરવામાં આવી છે. બીજી બાજુ દયાભાભીને લઈ લોકોમાં ભારે આતુરતા પણ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી દિશા વાકાણી એટલે કે દયાભાભી શોમાંથી ગાયબ થઈ ગયા છે. વચ્ચે વારંવાર દિશા વાકાણીનું નામ ચર્ચામાં આવી રહ્યું છે કે તે શોમાં ફરીથી આવશે.

સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, દિશા વાકાણી નવરાત્રીએ તારક મહેતા શોમાં ફરીથી આવશે. દિશાની વાપસી પર માધવી ભાભી એટલે કે સોનાલિએ પણ મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે મને હાલના સમયે વિશે કોઈ જાણકારી નથી. અમને પણ બીજા દ્વારા સાંભળવા મળે છે કે દયા ભાભી આવશે. 3 વર્ષથી આવી ખબરો આવી રહી છે કે તે આવશે પરંતુ હજુ વિશે કોઈ પુષ્ટિ મળી રહી નથી.

હાલમાં શોના પ્રોડ્યુસર અમિસ મોદીએ પણ સમાચાર અંગે પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે હજુ કાંઈ નક્કી નથી, કોઈ વાત પાક્કી નથી થઈ. મીડિયા રિપોર્ટનું માનીએ તો મેકર્સ દિશાને શોમાં ફરીથી લાવવા માટે પુરી કોશિશ કરી રહ્યા છે. કારણ કે દિશા દયાભાભીના પાત્રથી લોકો ખુબ હસે છે અને બધાનું ફેવરિટ પાત્ર બની ગયું છે. એવામાં મેકર્સ ફેન્સના ગમતા પાત્રને તેનાથી વધારે સમય દુર રાખવા નથી માંગતા. ત્યારે દરેકને એક રાહ છે કે ક્યારે શોમાં દયાભાભીના રોલમાં દિશા વાકાણીની એન્ટ્રી થાય છે અને ફેન્સની રાહ પુરી થાય છે.

(11:20 pm IST)