Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

મુસ્લિમ રેજિમેન્ટ ની અફવાને લઇ રિટાયર્ડ સૈન્ય અધિકારીઓએ લખ્યો રાષ્ટ્રપતિને પત્ર

પૂર્વ નૌસેના પ્રમુખ એડમિરલ એલ. રામદાસ સહિત ૧ર૦ સેવા નિવૃત સૈન્ય અધિકારીઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખી મુસ્લિમ રેજિમેન્ટ ને લઇ ખોટી ખબરો ફેલાવનારાઓ વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી છે. સેનામાં આવી રેજિમેન્ટ કયારેય હતી નહિ. પત્રમાં આશંકા દર્શાવવામાં આવી છે કે આ પાકિસ્તાની સેનાના મનોવૈજ્ઞાનિક ઓપરેશનનો હિસ્સો હોઇ શકે.

(10:04 pm IST)